________________
થોડી લટો લઈને રાસગૂંથણીના જેવી અજબ કેશગૂંથણી માંડતાં.
આમાં સમય તો ઠીક ઠીક પસાર થઈ જતો. મહારાણી પોતે પણ આથી શ્રમિત દેખાતાં. પણ કેશાવલિની જે મનોહર રચના થતી, એ સહુ કોઈ જ રહેતા. ભલા, પરિશ્રમ વગર કયું કાર્ય સાધ્ય છે ?
આમાં કેશગુંફનકલાના પ્રચારે તે પ્રકારે સ્ત્રીનું આકર્ષણ ખૂબ વધારી દીધું. ને ગમે તેવો જોગી જતિ જેવો પુરુષ પણ સ્ત્રીને નમતો-ભજતો આવવા લાગ્યો. જે પુરુષો બહાર રાતોની રાતો ગુજારતા એ હવે યોજનાનો પ્રવાસ ખેડી સાંજે ઘરતરફ પાછા વળવા લાગ્યા.
ઘડિયા જોજન અશ્વ અને રથનાં મૂલ્ય પણ વધી ગયાં.
અયોધ્યા દેશની સ્ત્રીઓને કેશપાશનું ઘેલું લાગ્યું. દિવસનો ઘણો સમય એમાં જવા લાગ્યો. રૂપ તો વિધાતાની ભેટ છે. સામાન્ય કુળોમાં પણ મહારાણીને આંટે તેવી રૂપવતી સ્ત્રીઓ હતી, પણ એમનાં રૂપ આવાં અવગુંઠનસંસ્કાર પામ્યાં નહોતાં. હવે આ નવાં કંચુકીબંધનો, અવગુંઠનો, કેશકલાપનો સંભાર પામતાં એમનાં રૂ૫ સહસ્ત્ર કળાએ ખીલી ઊઠ્યાં.
પણ વાહ રે રાણીજી ! તમને ક્યારે કોણ હરાવી શક્યું છે, કે આજે હરાવે ! આજ બધી સ્ત્રીઓ શૃંગારમાં તમારું અનુકરણ કરી, તમારી સમોવડી થયાનો સંતોષ લૂંટવા તમારી સમક્ષ આવી, ત્યાં વળી તમે તદન નવો પ્રકાર લઈને આવ્યાં.
માત્ર કેશગુંફન જ શા કામનું? આ તો કામદેવનું પ્રતીક દેવને ફૂલ ચડે તો એને કાં નહિ? કાળા ભમ્મર કેશકલાપમાં રાણીજીએ ન જાણે કેવાં કેવાં ફૂલડાંની ભાત પાડી હતી ! આહ, એનું શું ગજબનું આકર્ષણ ! પુરુષ તો બિચારાં પતંગિયાં બની રહ્યાં. સ્ત્રીઓએ રાણીના પુષ્મિત કેશકલાપને ચૂમી લીધો.
દિવસો સુધી સીઓ આ નવા શૃંગાર – પ્રકારમાં વ્યસ્ત રહી. પહેલા તો શૃંગારમાં પુરુષ સ્ત્રીની હરીફાઈ કરતા, પણ નવા પ્રકારમાં બિચારાના ભાગ્યમાં માત્ર પ્રેક્ષક બનવાનું આવ્યું !
અયોધ્યા દેશની સ્ત્રીઓ હવે કેશપાસ ગૂંથવામાં કુશળ બની ગઈ હતી. એ મહારાણીને પોતાનું પાટવ બતાવવા ઇંતેજાર હતી. કેટલીક સ્ત્રીઓ તો આ કળામાં એટલી સિદ્ધહસ્ત બની હતી કે તેઓને ખાતરી હતી, કે મહારાણી ખુદ આફરીન પોકારી ઊઠશે.
પણ હમણાં મહારાણી બહાર નીકળતાં જ નહોતાં. ન જાણે તેમને ૧૩૮ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org