________________
ચક્રવર્તીનો નિયમ હતો, કે યુદ્ધે ચઢતાં પહેલાં ત્રણ દિવસનું વ્રત કરવું, મન નિર્મલ કરવું, ઇષ્ટ દેવનો જપ કરવો. રાજા પણ માણસ છે, માણસ પણ ભૂલે છે. ત્રણ દિવસ ને ત્રણ આવી શાંત રાત પછી પારણું કરી શુદ્ધ ચિત્તે ને શુદ્ધ દેહે હાથમાં ધનુષ્ય સાહવું.
ચક્રવર્તી હાથમાં ધનુષ્યે લે, અને ટંકાર કરે એ સાથે સેના હલ્લો કરવા ઊપડતી. શંખ ભેરી, પણવ, મૃદંગથી પૃથ્વી ધમધમી ઊઠતી. ચક્રરત્ન પોતાના ભયંકર આવા ઘુમાવતું આગળ વધતું, ને એને વેગ આપતા અયોધ્યાના શૂરા સામંતોનાં પરાક્રમ જોયાં જોવાતાં નહોતાં !
અરિદળ પોતાના જમરાજને નજરે નિહાળતાં ને ઊભી પૂંછડીએ ચીસો નાંખતાં ભાગતાં !
સામાન્ય રીતે આજ સુધીનો અનુભવ એવો હતો, કે વ્રતથી પુનિત ચક્રવર્તી ભરતદેવ ઉપવાસનું પારણું કરી ધનુષ્યનો ટંકારવ કરતાં કે સામો શત્રુ અધીનતા સ્વીકારતો, સામે આવીને હાથ જોડીને ઊભો રહેતો. પણ આ વખતે સામે હઠાગ્રહી બાહુબલ રાજા હતો. એણે યુદ્ધ ખેડ્યાં નહોતાં, એટલે એ યુદ્ધનો બિનઅનુભવી હતો. અનુભવી માણસ તો આટલી સેના, આટલું બળ જોઈ આપોઆપ પરિણામ કલ્પીને નમી જાય, પણ બિનઅનુભવી માણસ કેમ વર્તે એ કંઈ ન કહેવાય. એ તો આખરસુધી અણનમ રહીને લડે, ભારે ખાનાખરાબી વેઠે અને પછી અસહાય બનીને નમી પડે ! પણ એટલા વખતમાં બંને પક્ષે ન જાણે કેટલી ખાનાખરાબી થઈ ગઈ હોય !
બાહુબલમાં આવું જ થવાનું અને એમાં સરવાળે એને જ ભયંકર શોષવાનું આવશે. ભારે વેરથી વિદ્રોહનો બદલો લેવાવાનો !
ચક્રવર્તી ભરતદેવના લશ્કરમાં સ્ત્રીઓ લડવૈયા તરીકે ન આવતી. સ્ત્રીજીવનનો એકાંગી ઇતિહાસ જૂનો છે, છતાંય રમ્ય છે. પ્રારંભમાં કેટલીક સ્ત્રીઓ યુદ્ધમાં ભરતી થયેલી, પણ આ સંહારના કાર્યમાં તેઓ વિશેષ રુચિવાળી ન નીવડી. એ કહેવા લાગી કે, અમે આમ્રવૃક્ષ છીએ. અમારા ફળ અમારાથી ન છૂંદાય ! તમે તમારે લડો, અમે ઘેર રહીશું. દેખવુંય નહિ, ને દાઝવુંય નહિ !
અયોધ્યાની સ્ત્રીઓ આમ રણમેદાનના સંહારકર્મમાંથી પાછી ફરી, પણ પુરુષોએ એમને સસ્તી ન છોડી. પોતે માથું કપાવે, તો સ્ત્રી સામા પલ્લામાં શું આપે ? તેઓએ તેમને સુંદરી બની પોતાના આનંદનું, મોજનું ને મહત્તાનું રૂપાળું રમકડું બનાવી ! સ્ત્રીએ સુંદર બની પુરુષને રીઝવવો, સારા પકવાન
રૂપને રૂપ ખપે * ૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org