________________
‘સ્વામીનાથ ! એ કાયર કામદેવે કહ્યું કે, ધર્મનો દંભ કરી એ પિત્તાનું તખ્ત પચાવી પડ્યો છે. પણ મારા હાથમાં ભરત આવે એટલી વાર છે ! એના દંભના પડદા ચીરી ન નાખ્યું તો મને કોઈ બાહુબલ ન કહેશો !”
ઓહ ! આગિયાનો સૂરજ સામે આટલો ગર્વ ! રે રાણી ! મારાં આયુધ લાવો ! હું આ ઘડીએ જ પ્રસ્થાન કરવા માગું છું. હું જાણું છું કે એ સહુની સામે બોલ્યા કરે છે કે છ ખંડ જીત્યા એમાં ભરતે શી ધાડ મારી ! મેં કેવી ધાડ મારી તે હવે સમજાશે. રે મૂર્ખ !”
“હા સ્વામી ! ચક્રરત્નના મહાસામંત સુષેણે પ્રવેશ કરતાં કહ્યું, એ મૂર્ખને તો બોલવાનો બંધ જ નથી ! કહેતો ફરે છે, કે હરણને હણવામાં વનકેશરીની શી વશેકાઈ? હાથીને હરાવવામાં એની શ્રેષ્ઠતા ! તરણાને તોડવામાં પવનની શી વશેકાઈ ? પહાડને ડોલાવવામાં જ એની મહત્તા !”
જાઓ મહાસામંત ! હું સજ્જ છું. હમણાં ને હમણાં પટહ વગડાવો. હું એક પળનો પણ વિલંબ સહન કરી નહિ શકું, ફરીથી કહું છું, કે આજ્ઞાનું ઉલ્લંઘન કરે, એ સ્વજન હોય કે પરજન દંડને યોગ્ય છે. મારા હાથ બાહુબલને દંડવા માટે ઉદ્યત છે.”
અયોધ્યાનું આખું વાતાવરણ યુદ્ધના નાદથી ગાજી ઊઠ્યું. યથાયોગ્ય સમયે ચક્રરત્નની પૂજા થઈ.
શંખ, ભેરી ને પણવ ગાજી ઊઠ્યાં.
મહારાણી સુભદ્રાદેવી આગળ આવ્યાં. એમણે ભરતદેવના કપાળમાં કુમકમ તિલક કરવા હાથ ઊંચો કર્યો. દાસીઓ કુમકુમ-કેસરના થાળ ધરી રહી; પણ રાણીજીને એ ઓછા અધૂરા લાગ્યા હોય એમ તેમણે પોતાની કમર પર રહેલી સુંદર છૂરિકા ખેંચી, અને આંગળી પર કાપ મૂક્યો.
ચંપક-પુષ્પ જેવી અંગુલિમાંથી રક્તવર્ણ કુમકુમ બહાર આવ્યું.
રાણીજીએ એ રક્ત કુમકુમ વડે ભરતદેવને તિલક કર્યું. આખા વાતાવરણમાં ઉત્તેજના પ્રસરી રહી.
ભયંકર શંખ ફૂંકાયા. પ્રચંડ પણવ ગાજ્યા.
સેનાએ જયઘોષ સાથે પ્રયાણ કર્યું. એ સેનાની ઊડેલી રજ વડે પૃથ્વી અને આકાશ છવાઈ ગયાં ! દેવતાઓ પણ આ દેવતાઈ દૃશ્ય જોવા આકાશમાં ઘૂમવા લાગ્યા.
આટલા સબળ –આટલા નિર્બળ ૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org