________________
‘રાણી!ભૂલો છો તમે!મારા બદલે તમે લડવા જાઓ તો તમે તો એને જોઈને. એનું કમળ જેવું મુખારવિંદ નિહાળીને, એનો બંસી જેવો સ્વર સાંભળીને ઘેલાં જ બની જાઓ. દોડીને તમારા એ દિયરને વહાલ કરો, અને દોડ્યાં દોડ્યાં મને ઠપકો આપવા આવો કે આવા ભાઈ સાથે તે યુદ્ધ થાય કે એને હેતથી ભેટાય ?'
વળી પ્રાણનાથ, મારી મશ્કરી કરવા માંડી છે? બાહુબલ પર મને કદી પણ વહાલ ન પ્રગટે. એ અવિવેકીને પોતાના ઉદારચિત્ત બંધુની પણ કદર ન થઈ ! અરે, અગર મોટાભાઈની અધીનતા સ્વીકારી લીધી હોત તો એનું કયું છોગું ઊતરી જાત ? એને સજા થવી જ ઘટે !”
સાચી વાત છે. એને સજા થવી જ ઘટે ! અને એ સજા પણ એવી થવી ઘટે કે સંસારનો કોઈ નાનો ભાઈ મોટા ભાઈની સામે થવાની હિંમત ન કરે !”
“અરે ! એણે હંસને કહેલા શબ્દો હું યાદ કરું છું ને બળી મરું છું. કેવો અધમ બંધુ !” રાણી બોલ્યાં.
‘કયા શબ્દો, રાણી ?'
‘એ જ શબ્દો, એ જ વાક્યો : એણે કહ્યું કે ભરત પરમાર્થનો પોશાક પહેરી જગતને લૂંટી રહ્યો છે. લૂંટારો નહિ તો–'
મને લૂંટારો કહ્યો? હું એની આબરૂનો લૂંટારો બનીશ !”
અરે પ્રાણનાથ ! એના મોંમાં લગામ જ ક્યાં છે ? એણે હંસને કહ્યું, પ્યારનો વાઘો સજી ભરત બંધુઘાત કરવા તત્પર બન્યો છે. હત્યારો નહિ તો....”
‘રાણી ! મને તમે બાહુબલ વિષે આવી જ વાતો કરો, જેથી મારા દિલમાં બેઠેલું પ્રેમનું મીણ પ્રવાહી થઈ વહી જાય, અને વેરનું લોહવજ્જર ત્યાં આવીને બેસી જાય ! શું એ બાહુબલે મને હત્યારો કહ્યો ? અરે, અત્યારે જ કૂચકદમ કરો, એ આખાબોલાની જીભ જ સીવી નાખવા માગું છું.” ભરતદેવે હોંકારો કર્યો. એ હોંકારો દિગદિગન્તમાં ગાજ્યો. તેઓ જાણે પોતાની જાતને પાનો ચઢાવવા મથી રહ્યા. - “પ્રાણનાથ ! વધારે વાત કરી હું બળતામાં ઘી હોમવા નથી માગતી !” ચતુર રાણી સમજી ગયાં કે સંયમનો દેખાવ કરવામાં જ વિશેષ લાભ છે.
ના રાણી ! આજે જે અગ્નિ પ્રગટ્યો છે, એમાં ઘીની જ જરૂર છે. વાત કરો, બોલો, એ બીકણ બાહુબલ બીજું શું શું બોલ્યો?” ભરતદેવ એક સેનાનીને , છાજે તેવા રુઆબમાં ખડા થઈને ઊભા રહ્યા. ૧૩ર ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org