________________
છોડી દેવા માંગું તો મારા શૂરા સામંતો સાંખી લેવા તૈયાર નથી. વાત ઘણી આગળ વધી ગઈ છે. પ્રજાનું રંજન કરે એ રાજા ! આજે પ્રજાનું રંજન યુદ્ધ છે; કારણ કે યુદ્ધમાં ભલે નિર્બળની બરબાદી હોય, પણ સબળની આબાદી છે ! હું યુદ્ધે ચઢવા માટે મનને તૈયાર જ કરી રહ્યો હતો રાણી!” ભરતદેવે ઉત્સાહમાં આટલું બોલી છેલ્લે ધીરેથી ઉમેર્યું, ‘બાહુબલ મારો ભાઈ છે!”
* “સ્નેહ અને શાસન રાજકારણમાં પરસ્પરવિરોધી હોય છે. રાણીએ વચ્ચે કહ્યું.
ભરતદેવે જાણે કંઈ ન સાંભળ્યું હોય તેમ આગળ બોલ્યા: ‘રાણી ! એક જ પિતાની પાસે હું પુરુષોની ૩૨ કળા ને એ સ્ત્રીઓની ૬૪ કળા શીખ્યા છીએ. એક બાપના બેટા હોવાની સાથે અમે એક ગુરુના બે શિષ્યો પણ છીએ !”
પ્રેમ ને અનુકંપા, દયા ને માયા, એ રાજાએ તજવાનાં. એણે તો માત્ર શાસન જ જોવાનું ! આવા હૃદયથી યુદ્ધ કેમ થશે ? શું હાથી પૂછડે આવીને અટકી જશે ?'
“ના રાણી ! કહ્યું નહિ કે આ રીતે હું મનને તૈયાર કરી રહ્યો છું. પહેલાં તો બાહુબલનો અપરાધ વિચારી રહ્યો છું, પછી ચિત્તમાં ક્રોધ જન્માવી રહ્યો છું. ક્રોધની આછી આછી ચિનગારી પ્રજ્વલી છે. પણ ભડકો થાય તેવું નિમિત્ત વિચારી રહ્યો છું. પછી તો તમે જોજો, મરકટને મળી મદિરા !”
નાથ ! તમારું મન વિચિત્ર છે. સંસારનો ચક્રવર્તી આવા નિર્બળ મનનો છે, એ લોકો જાણે તો ?'
તો શું થાય, રાણી?’ ભરતદેવે પ્રશ્ન કર્યો.
રાણી આ પ્રશ્નથી ચમકી ગઈ. એણે આગળ કંઈ ન કહ્યું; ફક્ત પોતાની દેહવલ્લરીને ભરતદેવના દેહ પર ઢાળી દેતાં કહ્યું :
પ્રાણ ! તમને જોઈને મને કંઈ કંઈ થાય છે! શું મને યુદ્ધમાં સાથે નહિ લઈ જાઓ ?'
ના, આ યુદ્ધ સ્ત્રીઓ ન જુવે, એવી મારી ઇચ્છા છે. ભાઈભાઈ વચ્ચેનું આ યુદ્ધ છે. આવો વિખવાદ કોમળ હૃદયો પર ખરાબ અસર કરે !”
“વાહ, પ્રાણનાથ વાહ ! શું તમારું અંતર છે ! અરે, આ અંતરનાં તો જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં છે ! ખરેખર, બાહુબલની મૂર્ખતા માટે મને રોષ આવે છે. એમ થાય છે કે હું જ તમારા બદલે યુદ્ધે ચઢે અને એ નગુરાને નાથીને તમારી સમક્ષ હાજર કરું !”
આટલા સબળ – આટલા નિર્બળ કે ૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org