________________
રતિઓ ત્યારે કેવી શરમાઈને ઊભી રહેશે ! ને એમને શ૨માયેલી જોઈ ખુદ કામદેવને ધરતી માગ આપે તો સમાઈ જવાનું મન થશે ! એ ધરતી સામે જોશેઃ ધરતી તો એવી ને એવી અચળ રહેશે. એ વખતે એ નરબંકાનું મોં કેવું જોવા જેવું હશે !' રાણી આટલું બોલતાં બોલતાં વળી ખડખડાટ હસ્યાં.
‘રાણી ! આ તો યુદ્ધ છે. કાલે કામદેવની જગ્યાએ તમારા ચક્રવર્તીને જંજીરોમાં જકડાઈને નીકળવું પડે !’ ભરતદેવે યુદ્ધની અનિશ્ચિતતા દર્શાવતાં કહ્યું.
અસંભવ છે ! અયોધ્યાના લાખો સૈનિકો સામે, એ બિચારા હજારોની ગણતરીવાળા સૈનિકોનું શું ગજું ! એક ચક્રરત્ન જ તક્ષશિલાને ખલાસ ક૨વા બસ છે. આપણા બળ પાસે, તાકાત પાસે, સૈન્ય ને સરંજામ પાસે તક્ષશિલા તણખલાને તોલે છે !’
તો આનું નામ યુદ્ધ કહેવાય ખરું ? યુદ્ધ તો સરખે-સરખા વચ્ચે હોય; સબળનિર્બળ વચ્ચે ન હોય; ભરતદેવે કંઈક ઊંડા વિચારમાં ઊતરી જતાં કહ્યું, ‘રાણી ! પિતાજી કહેતા હતા કે નિર્બળને સબળ ન સતાવે, એ માટે રાજપદ જરૂરી છે. તો પછી હું મારા જ હાથે પિતાજીના ઉપદેશનું ઉલ્લંઘન તો નથી કરતો ને ?”
‘તમારી આ આદત વિચિત્ર છે. શૃંગારમાં વૈરાગ્યની અને યુદ્ધમાં તમે આધ્યાત્મિકતાની વાતો કરો છો ! મારી એક પણ રસ-રાત્રી રસપૂર્ણ થઈ નથી. વિલાસ વેળાએ વૈરાગી બનીને ઘણી વાર તમે બોલી ઊઠો છો : ‘ રાણી ! આ વક્ષસ્થળ શું છે ? માંસના લોચા જ ને ? આપણે કેવા મૂર્ખ છીએ કે એને સુવર્ણ કલશનું ઉપનામ આપીએ છીએ ! ને આ રૂપાળી દેહ ? એક હાડપિંજરને લોહી-માંસથી મઢીને મૂકેલા પૂતળા જેવું નથી ?’ ચક્રવર્તીદેવ ! સંસારનો નિયમ છે કે નિર્બળ પર સબળ રાજ કરે. અને પિતાજીનો ઉપદેશ કંઈ રાજા માટે નહોતો, પ્રજા, પ્રજા વચ્ચેના વ્યવહાર માટે હતો.’
‘એટલે રાજા તમામ નીતિ-નિયમોથી ૫૨, એમ જ ને ? રાણી ! આનો અર્થ તો એ થયો કે નિર્બળ તમામ મિલકત અને સબળમાત્ર એનો માલિક !’ ‘જાઓ, આવી તમારી વાતોનો હું જવાબ નહિ આપું. સંસારના સર્વશ્રેષ્ઠ ડાહ્યાઓ પણ કેવા ઘેલા હોય છે, એનું ઉત્તમ ઉદાહરણ જોઈતું હોય તો તમે પોતે છો ! ગરમ સહેવાતું નથી, ઠંડું ગમતું નથી, તો હવે કહેવાતા કામદેવ વિષે તમે શો વિચાર કર્યો ? એની અધીનતા સ્વીકારી યુદ્ધ ટાળવાનો કે એને ભાબાપા કરીને રીઝવવાનો ?’
યુદ્ધ ! યુદ્ધ ! યુદ્ધ ! રાણી ! આજે યુદ્ધ વગર કોઈ આરો નથી. હું યુદ્ધ ૧૩૦ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org