________________
ચક્ર સાથે ચક્રવર્તીને જોઈને ભલભલાના ગર્વ ગળી જતા. કેટલાક રાજાઓ તો ચક્રરત્નનાં દર્શન પણ ન ઇચ્છતા. એ તો એની વાત સાંભળી અધીનતા કબૂલ કરી લેતા.
આજ સુધીમાં એક જ માણસ એવો જડ્યો, જેણે ચક્રરત્ન જેવા રત્નને તુચ્છ લખ્યું, અને ચક્રવર્તી જેવા ચક્રવર્તીની સત્તાને પડકાર આપ્યો. એ મૂર્ખ તે રાજા બાહુબલ ! એ અવિચારી આત્મા બાહુબલને શિક્ષા થવી જ ઘટે !
અરીસાભવનના એક અધૂરા ગવાક્ષ પર બેઠેલાં ચક્રવર્તી ભરતદેવ અને પટરાણી સુભદ્રાદેવી પોતાની જુદી જુદી મનોદશામાં વિહરી રહ્યાં હતા.
વાતાવરણમાં રણભેરીનો કેફ હતો. ગલીએ ગલી યુદ્ધનાં વાદ્યોથી ગુંજી ઊઠી હતી. અયોધ્યાવાસીઓના દિલમાં કોઈ શંકા નહોતી કે તક્ષશિલાનો પરાજય નિશ્ચિત છે ! ગાન, વાદન ને વિહારનું રસીલું, સૌંદર્યધામ તક્ષશિલા ભલે જીવનની અન્ય સર્વ કળાઓમાં અગ્રગણ્ય હતું, પણ શૂરવીરતામાં અને યુદ્ધમેદાનની કલામાં તો એ પછાત જ હતું.
| વિજય નિઃશંક અયોધ્યાનો હતો. અયોધ્યાની આ શેરીઓમાં થોડા દિવસોમાં તક્ષશિલાની ગાનચતુર ને રસચતુર રમણીઓ ઠોકરો ખાતી ફરતી હશે, ને એના છેલછબીલા નરો કાં તો જંજીરોમાં જકડાયેલા ને કાં તો તાબેદારી કરતા જોવાશે. એમના મનભર વનવિહારો વિલાઈ જશે ને દિલહર જળક્રીડા આથમી જશે !
પટરાણીને આ વિચારોમાં આપોઆપ હસવું આવી ગયું. અન્યમનસ્ક ભરતદેવનું લક્ષ રાણીજી તરફ ખેંચાયું. એમણે સહજ રીતે પૂછ્યું :
‘કેમ હસ્યાં, રાણીજી ?” મનમાં એક વિચાર આવ્યો તેથી !' રાણીએ કહ્યું; કયો વિચાર ?' એ જ વિચાર રાજા બાહુબલનો, આ જમાનાના કહેવાતા કામદેવનો !” પણ કેવો વિચાર, એ તો કહ્યું નહિ.'
કહું છું.” આટલું બોલી મહારાણી વળી હસી પડ્યાં. ઊગતા સૂરજના પ્રકાશમાં એમના દાંતની ધવલ પંક્તિ હીરાની શોભા ધરી રહી. પોયણાં જેવા પોતાનાં પોપચાં ઉઘાડ-મીંચ કરતાં રૂપભર્યા રાણી બોલ્યાં :
વિચાર એ કરું છું કે એક દિવસ આ શેરીઓમાંથી અરીસાભવનના આ ગવાક્ષ નીચેથી, એ કહેવાતો મહાન કામદેવ જંજીરોમાં જકડાયેલો, દીન-હીન પસાર થશે, ત્યારે લોકોને એને નિહાળીને કેવું હસવું આવશે ! એ કામદેવની
આટલા સબળ–આટલા નિર્બળ ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org