________________
૧૮
આટલા સબળ - આટલા નિબળ
લડાઈનો નાદ આ નગરથી પેલે નગર, આ વનથી પેલે વન, આ વાડીથી પેલી વાડી સુધી ગાજી ઊઠ્યો હતો. જ્યાં જ્યાં સાદ સંભળાયો ત્યાં ત્યાંથી માણસો ઊઠીને ખડા થયા. ખેડૂતોએ હળ મૂક્યાં. શિકારીઓએ શિકાર છાંડ્યા. પશુપાલકોએ પશુ મૂક્યાં.
અયોધ્યાનું મેદાન રણશૂરા પુરુષોથી ઊભરાઈ રહ્યું.
ચક્રરત્ન, જે હમણાં ધીરું પડ્યું હતું, એ ફરી પોતાના તીક્ષ્ણ આરાઓ સાથે ફરવા માંડ્યું હતું. એનો એક એક આરો હજારો ખડગધારાઓ કરતાં વિશેષ કાતિલ હતો.
દેશના એક હજાર બળવાન સામંતો આ લોહ-અસ્ત્રને ઘુમાવતા, અને જ્યારે ઘુમાવીને શત્રુના સૈન્ય પર છૂટું મૂક્તા, ત્યારે ખુવારીનો પાર ન રહેતો.
આ મહાસામંતો વનકેસરી જેવા બળવાન હતાં; વનના વાઘ એમના પરાક્રમ પાસે પાળેલા પશુ જેવા બની જતા.
આ સામંતોનો આહાર-વિહાર અપૂર્વ હતો. એ રોજ એક સહસ્ત્ર ગાયોનાં દૂધ પીતા.
આ દૂધની પ્રક્રિયા અતિ વિચિત્ર હતી. એક હજાર ગાયોનું દૂધ પાંચસો ગાયોને પાવામાં આવતું. એ પાંચસો ગાયોનું દૂધ અઢીસો ગાયોને પાવામાં આવતું. એમ છેલ્લી પચાસ ગાયોનું દૂધ આ એક યોદ્ધોને મળતું.
કહેવાતું હતું કે ભરત ચક્રવર્તી તો રોજ ચાર હજાર જેટલી ગાયોનું દૂધ પીતા. અને જે ચક્રને હજાર સામંતો એકત્ર મળીને ધારણ કરતા, એ ચક્રને પોતે એકલા ફેરવતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org