________________
‘નાક કપાવીને અપશુકન કરવા જેવી આ વાત છે. શું આટલા જલદી તમે ભગવાન ઋષભદેવના આદેશો ભૂલી ગયા ? એમના ઉપદેશને આટલા જલદી પાણીમાં ઘોળીને પી ગયા ?’ સ્ત્રીઓ બોલી. શેરી જાણે ચર્ચાસભા બની ગઈ.
અરે, ભગવાનના ઉપદેશો એમના પાટવી પુત્ર વધુ સમજે કે તમે વધુ સમજો ? ચોવીસે કલાક એમના સાંનિધ્યમાં રહેનારા જન્મજાત સેવકો વધુ સમજે કે તમો વધુ સમજો ?’ પુરુષોએ દલીલ કરી.
ઘણી વાર દીવા નીચે જ અંધારું હોય છે. એક સ્ત્રી સહજભાવે બોલી ગઈ.
ચક્રવર્તી મહારાજ ભરતદેવનું આ અપમાન ? મહારાજ ભરતદેવને વિખ્યાત શાસનનું આ અપમાન ? કેદ કરી લો એને !” એક અધિકારી જેવા પુરુષે આગળ વધીને કહ્યું અને પેલી ચબાવલી ચપલા સ્ત્રીને પકડવા પ્રયત્ન કર્યો.
‘આ રીતે તમે પ્રજાની જીભ સીવી લેવા માગો છો ?” સ્ત્રીવર્ગે સામો પડકાર ફેંક્યો. તેઓએ ગર્જના જેવા સ્વરે કહ્યું :
‘તમારી સ્વતંત્રતાની વાતોમાં અમે ભાવિ પરતંત્રતાનાં બીજ દેખીએ છીએ. બળને મહાન લેખનારા આખરે પશુ થઈને ઊભા રહેવાના. પશુતાને સ્વાર્થ સિવાય બીજું કંઈ પવિત્ર નહિ લાગે.
વાત વધુ ગંભીર થઈ જાત, કદાચ ત્યાં જ સ્ત્રી-પુરુષની રણDલી જામી જાત, પણ એકાએક એક અશ્વારોહી ત્યાં આવ્યો. એણે ખબર આપી,
‘ચક્રવર્તી મહારાજ ભરતદેવે અરીસાભવનનું નિર્માણ થંભાવી દીધું છે. ને શિલ્પીઓ, સ્થપતિઓ ને શ્રમજીવીઓને લશ્કરમાં ભરતી થવાનું કહી દીધુ છે ! ધન્ય મહારાજ ભરતદેવના ત્યાગને !”
“કેવો સુંદર, સર્વશ્રેષ્ઠ ત્યાગ ! આંગળી કપાવી ભરતદેવ શહીદ-વીર બન્યા ! અરે, યુદ્ધઘેલડાઓ પોતે તો ગાંડા બન્યા જ છે, પણ હવે તો એ જગત આખાને ઘેલું બનાવી નાખશે.' સ્ત્રી વર્ગે કહ્યું.
આ દરમિયાન કેટલીક સ્ત્રીવર્ગ પુરુષોથી ડરીને ચાલ્યો ગયો હતો. કેટલોક “આ પથ્થરોને પલાળવા દુષ્કર છે,’ એમ નિરાશ થઈ સ્થળ છોડી ગયો હતો. પણ થોડીક તેજસ્વી સ્ત્રીઓ હજી નિર્ભયપણે સામે ખડી હતી. એ વચનથી કે ચાપથી લડવા તૈયાર હતી. ૧૨૬ ભરત–બાહુબલી
Y"
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org