________________
લડાઈ હતી, હવે તો ઘરઆંગણે એના પડઘા પડ્યા. ઘરમાં જ શત્રુવટના અંકુર ફૂટ્યા. યુદ્ધનો આ નાદ સંસારની સર્વ સ્નેહ સરવાણીઓ શોષી લેશે. રોકો આ યુદ્ધને !'
યુદ્ધ આપણાથી હવે કેમ રોકાય ? આપણે જ પુરુષોને માથે ચઢાવ્યા છે!” કેટલીક સ્ત્રીઓએ રોષ વ્યક્ત કર્યો.
અરે, આજ ભાઈથી ભાઈ લડશે; કાલે પિતાથી પુત્ર લડશે; પત્નીથી પતિ લડશે, આમન્યા તૂટશે ! દુઃખ, શોક ને સંતાપનું આભ સંસાર પર તૂટી પડશે !” સ્ત્રીસમૂહે ફરી કંદન કર્યું.
એ કંદનના ઠેર ઠેર પડઘા પડ્યા. અને સ્ત્રીઓના એ આર્તનાદની ક્રૂર મશ્કરી કરતા હોય તેમ સામેથી બીજા પુરુષો હવામાં ઝૂમતા ને યુદ્ધની ભીષણતાની વાતો કરતા આવ્યા.
હવે બાર વર્ષ ઉપરનો બાળક પણ રણાંગણે આવશે, શત્રુને સંહારશે. સિંહસંતાન સમાં આપણાં, શિશુઓ બાહુબલ જેવા મહાન હસ્તીને પોતાના પંજાની તીક્ષ્ણતાથી વિદારશે. બોલો, ચક્રવર્તી મહારાજની જય !'
‘હાય ! હાય ! આ યુદ્ધની બિભીષિકા શું આપણાં નવજાત શિશુઓને પણ ભરખી જાશે ? એમનાં મોંને પણ શું માણસખાઉ વાઘની જેમ લોહિયાળ બનાવી દેશે ? એમની નસોમાં પણ શું આવેશનું, ઉશ્કેરાટનું સ્વાર્થનું લોહી ફરવા માંડશે ? રે, ભગવાન ઋષભદેવની સંસ્કૃતિનો તો આથી વિશેષ દ્રોહ કયો હોઈ શકે ?”
સ્ત્રીસમૂહે ફરી આઝંદ કર્યું.
“હે મૂર્ખ રમણીઓ ! તમે બાહુબલ રાજાનો એ પ્રદેશ કદી નીરખ્યો છે ખરો ? એની પ્રસન્નતા એ અયોધ્યાની શરમ છે. લોકો કહે છે કે, અયોધ્યાનો રાજા ચક્રવર્તી અને એની રાજધાની અયોધ્યા આવી ?'
“અયોધ્યાની શરમ દૂર કરવા એ પ્રદેશનો શું નાશ કરશો ? તમે મોટા થવા બીજાને હીણો કરશો ? શું આ તમારી સંસ્કૃતિ છે ?’ સ્ત્રીઓએ તુચ્છકાર સાથે કહ્યું.
રે તમે બધી સ્ત્રીઓ બીકણ છો. સંતાનની પ્રીતિએ તમને અબળા બનાવી દીધી છે. અમે તક્ષશિલા પર વિજય મેળવશું, એને અમારી તાબેદાર નગરી બનાવીશું. પછી ભલે એ સુંદર રહે, સર્વશ્રેષ્ઠ રહે, પણ પછી એ અયોધ્યાની શરમ નહિ રહે.” યોદ્ધાઓ બોલ્યા.
દળી દળીને ઢાંકણીમાં ૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org