________________
કોને વહાલો ન હોય ?” ગાયને ચરવા છોડતી એક ગૃહરાજ્ઞી ગાય સાથે જ બહાર આવીને ઊભી રહી, ને ચર્ચામાં ભળી.
બહેન ! તમે તો ભગવાન ઋષભદેવે કહેલા ઉપદેશની વાત કરી. પણ આ રાજમાં એમની વાત કોણ સંભારે છે ? આ મારા સ્વામીની જ વાત કરું. રોજ રાતે, સાંભળવી ગમે કે ન ગમે પણ એની લડાઈની બડાશભરી વાતો માંડીને બેસે છે. કહેવામાં કહેવાનું એટલું કે મેં આટલા માણસ માર્યા, આટલી સ્ત્રીઓને કેદ કરી, આટલા મણિ-માણેક લૂંટ્યાં ! પણ હું કહું છું કે મહેલ તોડવામાં વાર ન લાગે, ચણવામાં જ મુશ્કેલી છે. તમે માર્યા અનેક, પણ જણ્યા કેટલા ?” અનાજ ખાંડતી એક બાઈ હાથમાં મુશલ સાથે જ બહાર આવી વાતોમાં ભળી. એણે છેલ્લે કહ્યું : “બહેન, મારે પતિ છે, પણ આવી વાત કરે ત્યારે એનું મોં જરાય ગમતું નથી ! હું એને પાસે બેસવા દેતી નથી !' - આ પુરુષો તો બાયલા છે ! બહેન, પરમદિવસે મારે જ પેલી પડોશણ સાથે વઢવેડ થઈ. એની ગાય મારા ઉદ્યાનમાં પેસી ગયેલી ને બગાડ કરી ગયેલી. મારો છોકરો મારી પડખે ચઢ્યો. કહે, ચાલ, આપણે બે થઈ એને સીધી દોર કરી નાખીએ. મેં એને વાર્યો ને કહ્યું, “બેટા ! બે જણા થઈને એકને હરાવીએ, એમાં બહાદૂરી નહિ. હું એકલી જ એની સાથે લડીશ,” પછી હું લડવા ગઈ ત્યારે મેં જોયું કે, એના હાથ ખાલી હતા, ને મારા હાથમાં તો ગાડાનું ધૂંસરું હતું. મેં પણ દોડીને એક ધૂંસરું એના હાથમાં આપ્યું, ને પહેલો ઘા એને કરવા કહ્યું. પેલી બાઈ બોલી કે બહેન, તારો આ ન્યાય જોઈ મારી જાતને થયેલો અન્યાય હું ભૂલી જાઉં છું તારે મને મારવી હોય તો માર ! આ ઊભી.” શું કહું, બહેન? હું તો દોડીને એને ભેટી પડી, અને આવા મધુરા બોલ બોલનાર એના હોઠને મેં ચૂમી લીધા !” એક ગૃહરાજ્ઞીએ પુષ્પ ચૂંટતા; બહાર આવીને પોતાનો તાજો કિસ્સો કહ્યો.
અરે ! ભગવાન વૃષભધ્વજ કહેતા હતા કે સબળાને માથે નબળાની રક્ષાનો ભાર છે, ત્યારે આ બધા તો નબળા માથે જ માટી થનારા ! મેં તો મારા દીકરાને કહ્યું કે, બેટા, હજાર માણસ થઈને સો માણસને હરાવે, એમાં તે બહાદુરી કે શરમ ? એમ તો હજારો કીડીઓ ભેગી થઈ, એક જખમી સાપનો પ્રાણ લઈ શકે, પણ એથી કીડી બળવાન ને સાપ નિર્બળ એવું કંઈ કહેવાય ?”
અરે ! આ તો બધું ઊંધું વાજું વાગે છે. ભગવાન ઋષભદેવ કહેતા હતા કે “મસ્યગલાગલ' ન્યાય દૂર કરવા માટે જ મેં રાજસંસ્થા સરજાવી છે. પણ
દળી દળીને ઢાંકણીમાં ૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org