________________
કેટલીક સુંદરીઓ ગાવા લાગી પણ ગીત ન જામ્યું. એ ગરીબડી થઈને
બોલી :
મહારાજ ! ન જાણે ગીત ગળામાંથી ક્યાંય સરી ગયું છે. પહેલાં તો કોઈ નિમંત્રણ આપે એ પહેલાં ગળું ગુંજી ઊઠતું. હાય રે ! આજ શું થયું ? ! કોનો અળખામણો પડછાયો પડ્યો '
એક સભાજન ઊભો થઈને બોલ્યો :
સ્વામી ! આજનું ગીત જુદું છે, એ પુરુષોના મુખેથી સુંદર ને જોશીલું લાગે છે. સાંભળીએ તો લાગે કે મરવું કે મારવું એ જ જીવનની મોજ છે ! યુદ્ધ એ જ ધર્મ છે. યુદ્ધ એ જ પ્રગતિ છે !'
બોલાવો એ ગાનારાઓને !' રાજાજીએ કહ્યું. અનુચર બોલાવવા દોડ્યો.
મંત્રીરાજ બોલ્યા,
‘મહારાજ ! આપણી પૃથ્વી, રાજદૂત હંસની વિદાય પછી, ઝડપથી પલટાઈ રહી છે. સ્ત્રી-પુરુષોનાં મિલન ગંધાઈ ઊઠ્યાં છે. કામદેવના રાજમાં કામાચાર હવે ભ્રષ્ટરૂપ ગ્રહણ કરી રહ્યો છે. ધરતીમાં કણ ઓછો થઈ ગયો છે. ગાયો પૂરું દૂધ આપતી નથી. માણસ વાતવાતમાં ગરમ થઈ જાય છે.’
રે ! સૃષ્ટિ ૫૨ પરિવર્તન આવ્યું છે. આપણે પરિવર્તને યોગ્ય પુરુષાર્થી બનીએ.' મહારાજ બાહુબલ બોલ્યા.
ગીત ગાનારા પુરુષોએ દરબારમાં પ્રવેશ કર્યો. એમનાં પગલાં ધરતી ધ્રુજાવતાં હતાં. એમના હાથ કોઈ રણચંડીના શસ્ત્રની જેમ હિલોળા લેતા હતા. કંઈક ખિન્ન રાજસભા આ ગાયકોના દર્શનથી જોશમાં આવી ગઈ.
ગીત ઊપડ્યું :
ભૂલીશ ન ઓ રસિક, શત્રુ તારે દ્વાર ઊભો છે ! આકાશમાં વાદળ ગર્જે, એમ તું ગર્જતો રહેજે. આકાશમાં વીજ દમકે એમ તું દમકતો રહેજે ! શત્રુ એ શત્રુ છે.
શત્રુને મારજે, મનમાં દયા ન રાખજે ! શત્રુને સંહારજે, નહિ તો એ તને સંહા૨શે ! શત્રુને સંહારતાં મરીશ, તો સ્વર્ગે સંચરીશ.
૧૨૦ : ભરતબાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org