________________
એવામાં એક સુંદરી દોડતી આવી. પુરુષ એની પાછળ લાઠી લઈને પડ્યો હતો. એના મોંમાં ખોટા શબ્દો હતા.
- સ્ત્રીએ પોકાર પાડ્યો : “મહારાજ ! મને રક્ષણ મળે. આ મારો સખા છે. એ કહે છે, હું યુદ્ધમાં જઈશ, તું સાથે આવજે. હું કહું છું કે મારાથી એ કસાઈનું કામ નહિ થાય. છોડ પરથી ફૂલ ચૂંટતાં મન દુખાય છે, તો માણસનું માથું કાપવું કંઈ સહેલ છે ? મેં એ વાત કરી ત્યારથી એ વહેમી બની ગયો છે ! કહે છે, કે મારા પર તારું મન નથી. ત્યાં હું મરું અને અહીં તું કોઈ અન્યની સાથે ઉછરંગે રમતી થાય ! મેં કહ્યું કે તું યુદ્ધમાં જા ત્યારે મને મારીને જજે ! એ કહે, મને અહીંના કોઈ પુરુષનો વાંધો નથી, પણ પેલા ભરત રાજાના દુષ્ટ સેનિકો તને ઉપાડી જાય તો...એ વિચાર સતાવે છે !”
મહારાજ બાહુબલ ફરી ખિન્ન રીતે હસ્યા ને બોલ્યા : રે પ્રજાજનો ! હજી ભેંસ ભાગોળે છે ને તમે ધમાધમ આદરી દીધી ! અરે ! મારી સ્વર્ગ જેવી પૃથ્વીનું શું થશે ? કેવો ભયંકર વિનિપાત આવશે !”
“મહારાજ આખરે ભરત આપણા મોટાભાઈ છે. નમી પડીએ તો આ પૃથ્વી બચી જાય !” મંત્રીએ કહ્યું.
‘નમવામાં વાંધો નથી, પણ આ તો રાજતંત્રનો સવાલ છે. રાજા સેનાપતિઓના હાથમાં રમતો હોય છે. સ્વતંત્રતા દઈ દીધે પણ સાર નહિ નીકળે. થોડોઘણો સાર સ્વતંત્રતા રાખવામાં છે. આજે નમ્યા, તેમની જબરદસ્તીને વશ થયા, તો વળી કાલે કહેશે કે તમે અમારા નગરમાં વસવા આવો. અમે તમારા નગરમાં આવીને વસીએ. જો આમ થાય તો ?” બાહુબલે કહ્યું.
એ ન બને ! તો તો આપણી પૃથ્વી વધુ બગડી જાય. આ પૃથ્વીની સલામતીનો સવાલ મુખ્ય છે ” મંત્રીએ કહ્યું.
આપણે આધીન બન્યા, એટલે એમના હુકમ માનવા પડે; ન માનો તો વળી પાછું યુદ્ધ તૈયાર જ છે. એ કાલે કહેશે કે બંને દેશો વચ્ચે લોહીસંબંધ બાંધો. તક્ષશિલાની સુંદરીઓ માટે એ બધા ઝંખે છે. શું આપણે આપણી સુંદરીઓ ત્યાં આપવા રાજી છીએ ?”
ના, ના, નાબધેથી પોકાર ઊઠ્યા, “અમે યુદ્ધ માટે તૈયાર છીએ ? ‘સારું, તો ચિત્તશાંતિ થાય તેવું ગીત ઉપાડો.' રાજાએ કહ્યું.
જાગતો યુદ્ધનાદ ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org