________________
એને પશુનાં દૂધ પીવાનો વારો આવ્યો ! જેવો ખોરાક તેવું મન. ધીરે ધીરે માણસના મનમાં પશુતા વસવા લાગી.
યુદ્ધ આવ્યું નહોતું. યુદ્ધ આવવાની આગાહી હતી, ત્યાં આ આખી સુંદર પૃથ્વી જાણે પલટાવા લાગી.
રાજા બાહુબલ રોજ દરબાર ભરતા. રોજ દૂત જતા અને આવતા. રોજ કંઈ ને કંઈ સમાચાર આવતા. આ સર્વ સમાચાર પ્રેમાળ હૈયાઓને વિદારનારા આવતા.
જે દરબારમાં ગીત, પ્રહેલિકા ને સમસ્યાઓની ઝડી વરસતી ત્યાં ખટપટ ને કાવતરાં ચાલતાં થયાં હતાં. છેલ્લે છેલ્લે કેટલીક સુંદર સ્ત્રીઓ સંદેશા લાવવાનું કામ કરતી થઈ હતી, ને એ સફળ થઈ હતી. પોતાના રૂપથી, ગીતથી, અભિનયથી એ ચક્રવર્તીની છાવણીઓમાં પ્રવેશ કરતી, પ્રવેશ કરીને, અધિકારીઓને પોતાના રૂપથી લોભાવીને, છૂપા સમાચાર લઈ આવતી.
આ સમાચારોએ બધાં હૈયાંને વેરથી અંધ બનાવી દીધાં. હજી સમશેરો ચાલી નહોતી, સમરાંગણો જાગ્યાં નહોતાં, એ પહેલાં માનસિક હત્યાઓ શરૂ થઈ ગઈ હતી ! જંગલનાં વરુ જાણે નગરવાસીઓના મનમાં વસી ગયાં હતાં.
રાજદરબારમાં એક ત્રીસેક વર્ષની સ્ત્રી આવી. એ ગર્ભવતી હતી. એણે રાજા બાહુબલને કહ્યું,
મહારાજ ! આ ઉદરમાં ચાર ચાર જીવ આવી ગયા, ને ચાર ચાર જન્મ ધરી ગયા, પણ આ પાંચમો જીવ ભારે ઉત્પાતિયો આવ્યો લાગે છે. પેટમાં આવ્યો છે ત્યારથી પાટાં મારવા લાગ્યો છે. હું તો હવે ફરી માતૃત્વ માટે રાજી જ નથી !'
મહારાજ બાહુબલ ઘડીભર વિષાદપૂર્ણ નયને સ્ત્રીને તાકી રહ્યા અને પછી પ્લાન રીતે હસતાં બોલ્યા :
સુંદરી ! આ પૃથ્વીનું અણુ અણુ પલટાઈ રહ્યું છે, એમાં તું પલટાય તો નવાઈ શી ? તારી અંદર રહેલું શિશુ પણ આ યુદ્ધના અણુનું સંતાન છે. રે, એક યુદ્ધ આખી ભૂમિને કેવી ફેરવી નાખે છે ! મને તો એમ થાય છે કે...'
રાજાજી વળી ઊંડા વિચારમાં ઊતરી ગયા. નીલગગન જેવી એમની આંખો શુકતારક જેવી ચમકી રહી. ૧૧૮ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org