________________
આખા પ્રદેશ પર સંહારના વિધવિધ પ્રયોગો શરૂ થયા. થોડા વખતથી તો ગીત પણ પલટાયાં હતાં. પહેલાંનાં ગીતોમાં પ્રેમભાવ, દયા ને સખ્યભાવ ગુંજતાં હતાં. હવેનાં ગીતોમાં માણસ સફાળો બેઠો થઈ શસ્ત્ર પકડે, સામા માણસને સંહારી બેસે તેવું જોશ હતું.
એ ગીતો જાણે કહેતાં હતાં : ભૂલીશ ન ઓ રસિક, શત્રુ તારે દ્વાર ઊભો છે ! આકાશમાં વાદળ ગર્જ, એમ તું ગર્જના કરજે ! ‘આકાશમાંથી વીજળી તૂટી પડે, એમ તું તૂટી પડજે ! યુદ્ધમાં મરીશ તોય મંગળ છે ! યુદ્ધમાં મારીશ તોય લાભ છે ! યુદ્ધમાં શત્રુ એ શત્રુ છે ! ‘સજ્જન હોય તોય યુદ્ધમાં શત્રુ સજ્જન રહેતો નથી ! શાણો હોય તોય યુદ્ધમાં શત્રુ શેતાન લેખાય. શત્રુનું રૂપ સર્પ જેવું ઝેરી ગણજો ! શત્રુનાં પગલાંને પલયકારી લેખજો ! યુદ્ધની રક્તવર્ષાને કુંકુમનાં છાંટણાં માનજો !
શત્રુના આંતરડાં ખેંચીને હાર બનાવજો. શત્રુના મસ્તકના કંદુક બનાવજો !
શત્રુનાં હાથ-પગના ગેડીદડા સર્જજો ! ‘શત્રુ આપણો વિનાશ છે ! ‘વિનાશને વિદારો, નહિ તો વિનાશ તમને વિદારશે ! શત્રુ એ દરેક રીતે શત્રુ છે ! ‘એના સ્પર્શમાં, એની સ્ત્રીઓમાં, એનાં બાળકોમાં શત્રુવટ જીવે છે ! શત્રુ સાથે દયા નહિ ! શત્રુ સાથે ક્ષમા નહિ, બાંધછોડ નહિ ! શત્રુ સાથે તો શત્રુતા જ શોભે. શત્રુ અને યુદ્ધ આ બે શબ્દો આજના છે "
આમ આ કવિતાઓએ ગ્રામ-નગર–પુર બધે કાળો બોકાસો બોલાવી દીધો.
૧૧૬ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org