________________
૧૬
'જગતો યુદ્ધનાદ
રાજદૂત હંસની વિદાયને થોડા દિવસો વીતી ગયા હતા. યુદ્ધ હવે ' નક્કી હતું. તક્ષશિલાના રાજદૂતો સમાચાર લાવ્યા હતા કે ચક્રરત્ન, સેના અને સમ્રાટ ભરતદેવ યુદ્ધપ્રયાણની ઝડપી તેયારીઓમાં ગૂંથાયા છે.
તક્ષશિલામાં રોજ દરબાર ભરાવા લાગ્યો. રાજા બાહુબલના મંત્રીઓ અને સેનાપતિઓ યુદ્ધ માટેની વિચારણા કરી રહ્યા. આ સુંદર દેશમાં કદી યુદ્ધ આવ્યું નહોતું. અહીં યુદ્ધ તરફ ભારે ધૃણા હતી. એ યુદ્ધ હવે આવી રહ્યું હતું, ને આખો પ્રદેશ એ માટે તૈયાર થઈ રહ્યો હતો, બલ્ક તૈયાર કરવામાં આવતો હતો. - જે વનપ્રદેશમાં રસિકો અને રસિકાઓ બંસી રમતાં, ફૂલ વીણતાં ત્યાં હવે ચાપવિદ્યાનો અભ્યાસ ચાલતો હતો. જ્યાં પ્રથમ કયું ફૂલ વીણવું એનો પ્રશ્ન થતો, ત્યાં હવે પ્રથમ કયું ફૂલ વીંધવું એ પ્રશ્ન થવા લાગ્યો.
નવા યુદ્ધનિષ્ણાતોએ પોતાના ચાપની પરીક્ષા કરવા, દોડતાં હરણાંને વીંધવા માંડ્યાં હતાં. હરણાં ડરીને દૂરની બખોલોમાં ચાલ્યાં ગયાં હતાં. આમ વન વેરાન બની ગયાં.
જે જળાશયોની પાળે રસિક–રસિકાઓ કંદુક ક્રીડા કરતાં ત્યાં હવે ભાલાની આપલેની હરીફાઈઓ ચાલવા લાગી. કોઈ વાર જીવતા જીવને વીંધવાની પરીક્ષા કરવા ભાલાથી મજ્યને વીંધવાનો પ્રયત્ન થતો. પણ એનું પરિણામ એ આવ્યું કે જે મત્સ્યસમુદાય રસિકાઓના હાથને સ્પર્શ કરવા કિનારે રમવા આવતો, એ હવે ઊંડા જળમાં સરી ગયો. બધે શુષ્કતા પ્રસરી ગઈ. અને પૃથ્વી શુષ્ક બની એટલે માણસ કઠોર બનતો ચાલ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org