SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ અમે પોતે અધીનતા સ્વીકારવાના વિરોધી છીએ.' મંત્રીમંડળે કહ્યું : અને આજ આ વાત કદાચ યુદ્ધ ટાળવા સ્વીકારી લઈએ, તો કાલે કહેશે કે તમારે હાલવુંચાલવું પણ અમને પૂછીને !” તો યુદ્ધ માટે તૈયાર રહો ! તીડ જેમ ખેતરના પાક પર છવાઈ જાય છે, એમ અમારી સેના આવીને ક્યારે તમને આવરી લે છે, તેની રાહ જોતા રહો ! તો હું હવે આપ સહુની રજા લઉં ! મારાથી વસ્તુનું દર્શન કરાવવા જતાં કે વિગતના સ્પષ્ટીકરણમાં કંઈ અવિનય–અવિવેક થયો હોય તો તેની ક્ષમા યાચું છું.' દૂત હંસે છેલ્લી વાત કરી નાંખી. એક પળમાં તક્ષશિલાના સુંદર વાતાવરણમાં જાણે ગંભીરતા આવી ગઈ. દૂત ! પહેલી અને છેલ્લી વાત સાંભળી લે : વીરત્વની મૂર્તિ બનેલા તારા રાજાને કહેજે કે, એક હાથી સામે સો હાથી મૂકી ફતેહ મેળવવામાં વીરત્વ નથી. એને કહેજે કે સિંહ જેમ લગામને સહન કરે નહિ, એમ સ્વમાની પુરુષો અધીનતા સહન કરતા નથી ! યાદ આપજે, તારા ચક્રવર્તી રાજાને, એક દિવસ સરયૂના જળમાં રમતાં રમતાં એને લીલા માત્રથી મેં આકાશમાં ફંગોળ્યો હતો ! ચક્રવર્તીપદની મહત્ત્વાકાંક્ષા આડે આજે જગતમાં એ શું સર્જવા માગે છે, એનો સાચો ખ્યાલ એને આજે નહિ આવે, પણ એક દિવસ જ્યારે એ ખ્યાલ અવશે, એ વખતે શું હશે, ખબર છે ? ત્યારે એ નહિ હોય, હું નહિ હોઉં, અયોધ્યા નહિ હોય, તક્ષશિલા નહિ હોય ! હશે ફક્ત આપણાં યુદ્ધોએ દુર્બળ ને દુર્ગુણવાળું બનાવેલું દુર્ભાગી જગત ! જાઓ, હવે અમે અમારા વડીલ બંધુશ્રીને યુદ્ધના મેદાનમાં જ ભેટીશું.' રાજા બાહુબલે છેલ્લો જવાબ આપી દીધો. એ દિવસે તક્ષશિલાનાં બધાં ખીલેલાં પુષ્પ અડધાં બિડાઈ ગયાં. નિર્દે& વહેતાં ઝરણાં મંદગતિ થઈ ગયાં. ગાયોએ મોંમાં નીરણ ન લીધું. પંખીઓના ગીતસ્વરો પણ પલટાઈ ગયા. રાત દુર્ભેદ્ય બની. દિવસ નીરસ બન્યો. ૧૧૪ * ભરત–બાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy