________________
રાજા બાહુબલે વચ્ચે પ્રશ્ન કર્યો : “હે દૂત! અમારા મોટાભાઈ વ્યક્તિગત રીતે આ બાબતમાં શું માને છે ?'
અરેરે ! હજી તમે જૂની વાતો કરો છો. જે ચક્રવર્તી થયો, એ મોટો ભાઈ કે બાપ મટી ગયો. એને વ્યક્તિગત જેવું કંઈ જ ન રહે. એ સમષ્ટિપુરુષ બની ગયો. એના જગવિજેતા સેનાપતિઓ ને સામંતો જે કહે, એ એને કરવું પડે. એ બચાવવા ધારશે, તોપણ તમને બચાવી શકશે નહિ. ટૂંકી વાત એટલી છે કે, મોટાભાઈની દયામાયાની જરા પણ અપેક્ષા ન રાખશો. ભાઈના ભરોસે જશો તો ભૂલ ખાશો. બચવું કે ન બચવું તમારા પોતાના હાથમાં જ છે. બંને ભાઈને લડાવવા કે હસાવવા મંત્રીગણના હાથમાં છે !”
“અમે લડશું જ નહિ, પછી તમે લડશો શી રીતે ? બે હાથ વગર તાલી કેમ પડશે ?” એક રમણીએ વચ્ચે કહ્યું. એના કંકુ જેવા ઉત્સાહી મુખ પર રતિની સુશ્રી રમતી હતી. જગતના બગીચાનાં આવાં સુકુમાર ફૂલડાં કોને રગદોળવાં ગમે !
યુદ્ધ શું છે, એ તમે જાણતા નથી, એટલે આવી વાત કરો છો, દેવી !” હંસે લાગણીભર્યા સ્વરે કહ્યું.
“તો , વગર વાંકે તમે અમને હેરાન કરશો ? જગતમાં એવો અન્યાય કેમ ચાલે ?'
‘વાંક તમારો સ્પષ્ટ છે.' ‘તમારું કહ્યું નથી સ્વીકારતા એ જ ને ?
‘અમારું કથન એટલે શું? અમે એટલે કોણ ? એક ચક્રવર્તી એટલે શું ? જગતના સહુ સજ્જનો પર અનુગ્રહ ને દુર્જનો પર નિગ્રહ કરવાનું અમારું વ્રત છે.”
“એટલે અમે દુર્જન, એમ જ ને ? ભાઈ હંસ ! અમે તમારું શું બગાડ્યું છે ? આ તો તમારી અમારા પર જબરજસ્તી છે ! તમારી આ રીત તો “માન ન માન મેં તેરા મહેમાન” જેવી ખોટી છે અને ઉપરથી ગુનેગાર અમને કહો છો ? વાહ, તમારા ચક્રવર્તીનો ન્યાય !!
હવે ટૂંકી વાત કરીએ. તમે અધીનતા સ્વીકારો છો કે યુદ્ધ ? હંસે કહ્યું. આ અજબ મનોદશાવાળાં માનવીઓથી એ થાક્યો હતો.
‘આનો જવાબ મારા મંત્રીઓ વાળશે.” રાજા બાહુબલે મંત્રીઓ તરફ નજર કરતાં કહ્યું.
બંધુપ્રેમ કે બંધુદ્રોહ ? ૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org