________________
મીઠાં ગીત ! હું તમને હાથ જોડીને કહું છું કે, આ બધાની રક્ષા ખાતર તમે અધીનતા સ્વીકારો ને યુદ્ધને ટાળો ! નહિ તો એકવાર ભયંકર વાવાઝોડાને રોકી શકાશે, પણ ચક્રવર્તીની સેનાએ વેરેલા વિનાશને નહિ રોકી શકાય.'
રે દૂત ! સ્વાધીનતા અમારું દેવત છે. એ દેવત વેચીને અમે જીવીએ તોય શું ? એના કરતાં અમને મરવું મીઠું લાગે. નાગરિકોએ વચ્ચે કહ્યું.”
રાજા બાહુબલ આ પ્રકારની ચર્ચા જરૂરી માનતા હતા, એટલે એમણે આ વાર્તાલાપ ચાલવા દીધો. આમાં બીજી રીતે પ્રજા સમક્ષ કપરા ભાવિની રૂપરેખા સ્પષ્ટ થતી જતી હતી.
‘રે ! તો તમે શું ભરત–બાહુબલી ખડો કરવા માગો છો ? બે પ્રેમાળ બંધુઓને લડાવવા ચાહો છો ?” દૂતે કહ્યું.
‘અમે તમને જ સામે એ પ્રશ્ન કરીએ છીએ કે શું તમે ભરત–બાહુબલી કરાવવા માગો છો ? શું તમે બે ભાઈઓને લડાવવા માગો છો ?” નગરનારીઓએ દૂતને બોલવામાં પકડ્યો.
રસિક નારીઓ ! તમારી ચાતુરી અદ્ભુત છે. પણ મારો વાંધો ત્યાં છે કે, તમે સાગરનાં પાણી સાથે ગાગરનાં પાણીનાં મૂલ કરવા માગો છો ! કદાચ મહારાજ ભરતદેવ તમે અધીનતા ન સ્વીકારો એ સહન કરી લે, તમને સ્વતંત્ર રાખવાનું કદાચ મંજૂર પણ રાખે, પણ પેલા પ્રલયંકર ચક્રરત્નનું શું? એ નગરમાં પ્રવેશ ન કરે, એનું શું? એક મહાન રાજ્યતંત્રમાં રાજા જ સર્વસ્વ નથી. ઘણી વાર રાજા ગૌણ હોય છે, તંત્ર મહાન હોય છે. મહાસામંતો તો એક જ રઢ લઈ બેઠા છે, કે બસ ગણતરીની પળોમાં રાજા બાહુબલ તરફથી અધીનતાનો સ્વીકાર ન આવે તો યુદ્ધનો આદેશ આપી દેવો. રાજકાજમાં ભાઈ-ભાંડુ જોવાનાં ન હોય; બબ્બે સહુથી વધુ એમનાથી જ ચેતવાનું હોય છે ! હું ફરી તમ સહુ પૃથ્વી-સ્વર્ગનાં નર-નારને કહું છું કે, વડવાનલ સાથે રમત ન કરશો ! વીજળી સાથે અડપલું ન કરશો ! કાળ સામે બાકરી ન બાંધશો ! સારું એ તમારું !”
દૂત હંસના શબ્દોમાં આ સુંદર પૃથ્વી પ્રત્યેના પ્રેમનો છૂપો રણકાર હતો. એ આ પ્રેમમોહભરી સૃષ્ટિ પર મુગ્ધ હતો. કોઈ દિવસ યુદ્ધનો થાક ઊતરશે, તો તે આ પ્રદેશ ઉતારશે. માનવતાનો ગુંજારવ થશે તો અહીંથી થશે ! એનો નાશ કદી ઇચ્છનીય નથી એમ એ માનતો થયો હોય તેમ લાગતું હતું. ૧૧૨ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org