SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ બંધુપ્રેમ કે બંધુદ્રોહ ? રાજા બાહુબલે રાજમંત્રીઓ અને પ્રજાજનોને પ્રશ્ન કર્યો કે તેઓ શું ચાહે છે ? તેઓ તેમના રાજાને આ બાબતમાં શું સલાહ આપવા ઇચ્છતા હતા ? રાજા બાહુબલ, રાજસભા સમક્ષ પ્રશ્ન મૂકી, પોતે સિંહાસન પર જઈ બેઠા. એમના મુખગગન પર અનેક વાવાઝોડાં વહેતાં હોય, એમ લાગતું હતું. થોડી વાર ગંભીર મૌન પથરાઈ રહ્યું. ચંચળ નયનબાણ ચલાવવામાં ચતુર રસિક અને રસિકાઓ પણ, વનવેણુ ને ઉદ્યાનવિહા૨ના વિચાર મૂકી, આ નવીન પરિસ્થિતિનો પરામર્શ કરવા લાગ્યાં. એમનાં ખંજન જેવાં ચંચળ નયન ઊંડા પાણીની માછલીની જેમ સ્થિર થઈ ગયાં ! વસંતઋતુના વાયુએ હિલોળાં લેતાં નવપલ્લવિત પર્ણ જેવી એમની થનગનતી દેહયષ્ટિઓ સ્તબ્ધ બની ગઈ ! રે. ! યુદ્ધ તો આ ભૂમિ પર કદી આવ્યું નથી. ના, ના, એ ભૂંડું યુદ્ધ અમને પસંદ નથી !' રસિકોએ અંદર અંદર ગણગણાટ શરૂ કર્યો. તમે યુદ્ધ પસંદ નથી કરતાં,' રાજા બાહુબલે સિંહાસન પર બેઠા બેઠા જ નાગરિકોના મનના પ્રશ્નનો જવાબ આપવા માંડ્યો. ‘તમે જેમ યુદ્ધ પસંદ કરતાં નથી, તેમ હું પણ, જેમાં પ્રાણદાન નહિ પણ પ્રાણહરણ મુખ્ય છે, એવું યુદ્ધ પસંદ કરતો નથી ! માણસનું લોહી રેડાય, એવું કોઈ પણ કાર્ય મને પસંદ નથી. હું માનું છું કે જ્યાં સુધી આપણે મરેલા માણસને સજીવન ન કરી શકીએ, ત્યાં સુધી જીવતાને મારી ન શકીએ. યુદ્ધ તરફ મારી પણ નાપસંદગી છે. પણ પછી આપણે નિર્ણય કરી લેવો જોઈએ કે આપણે સ્વતંત્રતા ચાહીએ છીએ કે અધીનતા સ્વીકારવા માગીએ છીએ ?' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy