________________
સ્વર્ગના સેનાપતિ કાર્તિકેયે જાણે ભૂમિપટ પર અવતાર ધર્યો હતો.
દૂત હંસે સ્પષ્ટ કહેવા માંડ્યું :
રાજનું, હવે મારે આપને સ્પષ્ટ શબ્દોમાં કહેવું જરૂરી લાગે છે. આપને માટે અનુજ્ઞા અત્યંત જરૂરી છે. મારી ઇચ્છા હતી કે બાંધી મૂઠી સહુની રહે, ને કામ પતી જાય ! એક વાર અભિષેકમાં આપ હાજરી આપી જાઓ, મોટાભાઈને વંદી જાઓ, અનુજ્ઞાનો સ્વીકાર કરી જાઓ, પછી આપ આપના રાજમાં ને એ એમના રાજમાં ! સુખે સહુ હરે, ફરે ને લહેર કરે. હજી ફરી ફરી વિનંતી કરું છું કે આવો, મળો, ભેટો ! માગશો તો આપના મોટા બંધુ અડધું રાજપાટ તમારે નામે લખી આપશે.”
દાસ્યભાવ સ્વીકારીને જગત આખું મળે તો પણ મારા માટે નિરર્થક છે. સ્વતંત્રતા ખોઈને રાજ્ય મળ્યું તોય શું, ન મળ્યું તોય શું ? હંસ, તારા ચક્રવર્તીનું ચક્ર અમને ડરાવી નહિ શકે. સ્વતંત્રતા અમારો પ્રાણ છે. એ આપી દીધા પછી, પાછળ બાકી શું રહેશે ? દુર્ગધ મારતો દેહ જ ને !' - રાજા બાહુબલ જુરસામાં હતા. થોડી વાર એ થોભ્યા ને વળી બોલ્યા : - “દૂત ! ભરત રાજ્યનો અધિકારી છે અને અમે તો ભટકતા માણસ છીએ, એમ ન માનીશ. મારી માતા પણ એ જ મહાન રાજાની રાણી હતી. હુંય રાજપુત્ર છું. તમે મને આશ્રિત નહિ બનાવી શકો. યાદ રાખજો કે ચંદનવૃક્ષ બહુ ઘસાશે તો એમાંથી પણ અગ્નિ ઝરશે. શાન્તિ કે અગ્નિ, એમાંથી પસંદગી કરવાનું કામ તમારું છે.”
રાજા બાહુબલ સિંહાસન પરથી ઊભા થઈ ગયા, ને જેમ શાસિત વનપ્રદેશમાં કોઈ કેસરીસિંહ આંટા મારે તેમ રાજસભામાં આંટા મારવા લાગ્યા.
થોડી વાર સહુ મૌન રહ્યા. એ શાંતિ વજ જેવી ભારે હતી. થોડી વારે એ અભેદ્ય શાંતિને ભેદતા રાજા બાહુબલ બોલ્યા,
મારું મંત્રીમંડળ અને મારાં પ્રજાજનો આમાં મને શું કહેવા માગે છે ? સ્પષ્ટ કહેજો. તમારો નિર્ણય મને માન્ય હશે તો તમારો રાજા ચાલુ રહીશ. તમારો નિર્ણય અમાન્ય કરીશ, તો સિંહાસન છોડી દઈશ !'
રાજસભામાં અસહ્ય શાંતિ પ્રસરી રહી.
૧૦૮
ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org