________________
હંસ હવે જરા ટટ્ટાર થયો. એણે પોતાની કુશળતાનાં અમોઘ બાણ ફેંકવા માંડ્યાં. એણે જરા તીવ્ર ભાવથી કહ્યું :
“રાજનું, આટઆટલાં ભાવભર્યા નિમંત્રણ છતાં, આપ જ્યારે વિલંબના વાયદા દાખવો ત્યારે લોક એમ કાં ન કહે કે આપ વડીલ બંધુની આમન્યા અનુજ્ઞામાં નથી ! લોકનું મોં કંઈ બાંધવા જવાશે ?”
લોકનું જોઈને ન જિવાય ! હંસ, અમે તો જન્મથી જ એમની અનુજ્ઞામાં છીએ. હવે વળી નવી અનુજ્ઞા–આમન્યા કેવી ?” બાહુબલે દઢ સ્વરે જવાબ આપ્યો.
“કોઈક વાર એ અનુજ્ઞા પ્રગટ કરવી પણ ઘટે. કારણ ઊભું થાય તો કાર્ય કરવું ઘટે. મહાસામંતોનો આગ્રહ છે. ચક્રરત્ન બહાર થંભ્ય છે. ચક્રરત્નના પ્રવેશ વગર, આપ જાણો છો કે, યુદ્ધ પૂરું થયું ન ગણાય. લોકોનાં મન ઊંચાં છે. વડીલ ભાઈને વંદન કરવામાં વળી વિલંબ કેવો ” દૂતે કહ્યું.
બિલાડી ધીરે ધીરે પોતાના નહોર ખુલ્લા કરી રહી હતી !
દૂત ! હું સ્વીકારું છું કે તું ભારે કુશળ છે, પણ સામે હું સાવ મૂર્ખ પણ નથી. જાણી લે કે હું તો ભરતદેવનો સાવકો ભાઈ છું. પણ સગા ભાઈઓની એમણે શી સ્થિતિ કરી, તે હું જાણું છું.'
- “રાજન ! એવી વાતો ન સંભારશો. આપ બંનેમાં કયે દિવસે સાવકાપણું હતું? પધારો રાજનું ! ચક્રવર્તી મહારાજ અભિષેક-ઉત્સવમાં આપની કાગના ડોળે રાહ જુએ છે. આપના આગમન વિના એની પૂર્ણાહુતિ કોઈ રીતે નહિ થાય!”
“એ તો સમજું જ છું. હું એક જ શેષ છું, કાં ?” બાહુબલે પ્રશ્ન કર્યો. એ પ્રશ્ન એવી સ્વાભાવિકતાથી કર્યો હતો કે કુશળ દૂત પણ થાપ ખાઈ ગયો.
હા, મહારાજ ! આપ એક જ શેષ છો.’ મારું આસન ક્યાં ?” ચક્રવર્તીદેવની પડખે સર્વ સામંતોમાં પ્રથમ.'
હું સામંત ? હું ખંડિયો ? રે દૂત ! તારી રમત તારા હાથે ખૂલી પડી. હું તો માત્ર મુસદીની જીભની મીઠાશ માણતો હતો. મધુ વસે છે, જિલ્લગ્રે, હૃદયે છે હલાહલ ! હું જાણી ગયો તમારો બધો ભેદ. તમે તમારા રાજાને સર્વશ્રેષ્ઠ કરાવવા માગો છો. બધા તમારા રાજાને નમી પડ્યા છે, બાકી ૧૦૬ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org