________________
રાજન ! સૂર્ય ઊગે ત્યારે એ પહેલાં કહેવરાવતો નથી કે હવે હું ઊગું છું ! પંખી એમ જ ગાન કરે છે. કમળ એમ જ ખીલી ઊઠે છે ! મનમાં એમ હતું કે આપને વળી નિમંત્રણ કેવું? આપ જ્યારે ન આવ્યા ત્યારે સર્વ દેવોએ, વિદ્યાધરોએ, રાજાઓએ કહ્યું કે જેમ ચંદ્ર વગર રાત્રિ શોભતી નથી, એમ આપના લઘુબંધુ વગર આ અભિષેક-ઉત્સવ શોભા દેતો નથી. ચક્રરત્નના સર્વ સામંતોએ એટલે સુધી હઠ લીધી કે આપના લઘુબંધુના આગમન પહેલાં અમે ચક્રરત્નનો અયોધ્યામાં પ્રવેશ કરાવીશું નહિ. માટે હે રાજન, સંક્ષેપમાં મારું નિવેદન એટલું છે કે, જાગ્યા ત્યારથી સવાર ગણી, આપ હવે સત્વર અયોધ્યામાં પધારો ! આપ પધારશો એટલે કંકુમાં પાણી ભળ્યા જેવી શોભા થશે !'
“જરૂર આવીશું વડીલ બંધુને વંદન કરવા જરૂર આવીશું. પણ હાલ તો ચક્રરત્નને અંદર લઈ લો ! સામંતો સર્વ અયોધ્યાપ્રવેશ કરી, આસાયેશ માણે. મારા આવવાની શી નવાઈ છે ?” રાજા બાહુબલે સરલ ભાવે કહ્યું.
એમ નહિ રાજાજી ! આપ સત્વરે પધારો. વિદ્યાધર રાજાઓ અને આખી સેના આપ બંને બંધુઓના મિલનને જોવા ઝંખે છે. સંસારના બે મહાન મેરુઓનું મિલન જોવા, ચાતક સ્વાતિને ઝંખે એમ, સૌ ઝંખે છે ! આપ તો લોકોને આનંદ કરાવનારા છો, પછી આ આકુળતા ઊભી કરવી આપને ન શોભે !” દૂતે કંઈક અસરકારક વાણીમાં કહ્યું.
બાહુબલ બોલ્યા, ‘આવીશ, જરૂર આવીશ, પણ વિલંબ થશે. દૂત, સત્વરે નગર પ્રવેશ કરવા ઉત્સુક સામંતોને અને એમનાથી અધિકૃત ચક્રરત્નને વિના વિલંબે નગરપ્રવેશ કરાવો !”
રાજદૂત હંસે વળી આગ્રહ કરવા માંડ્યો : ‘વિલંબની વાત કરશો મા ! બે બંધુઓનો વિનોદ જોવા આખી અયોધ્યા ઝંખે છે. સામંતો કદી આપના આગમન પહેલાં અયોધ્યામાં પ્રવેશ નહિ કરે ! રાજનું, બંધુપ્રેમનું અદ્ભુત દશ્ય બતાવી નયનાનંદ પેદા કરો ! કોઈ કાલે રાજરાજેશ્વર ભરતદેવને એમ ન કહે કે રાજલક્ષ્મી બંધુવિદ્રોહી હોય છે ! ખરે ટાણે નાનો ભાઈ પણ ન સાંભર્યો !”
“મોટાભાઈ તરફનો મારો પ્રેમ સુવિદિત છે. એમનો મારા તરફનો ચાહ પણ જાણીતો છે. પણ એમ કોઈના કહેવાથી બંધુપ્રેમનું નાટક કરવું મને પ્રિય નથી. રાજા બાહુબલે સ્પષ્ટ કહ્યું.
બાહુબલના દરબારમાં ૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org