________________
મારા વડીલ બંધુએ શિલ્પકારને કહ્યું કે આજના યુગનો હું મહાન ચક્રવર્તી છું. ગુજરેલા યુગના એક ચક્રવર્તીનું નામ ભૂંસી નાખ, ને તે જગ્યાએ લખ કે...'
‘સ્વસ્તિશ્રી ઇશ્વાકુ કુલરૂપી ગગનમાં સૂર્ય સમાન ઉદ્યોત કરનાર, ચાર દિશાઓની પૃથ્વીનો સ્વામી હું ભરત આ લખાવું છું.
હું મહાન ધર્મધુરંધર ભગવાન ઋષભદેવ જેવાનો પુત્ર છું. હું મારા પિતાના સૌ પુત્રોમાં શ્રેષ્ઠ છું. હું સમસ્ત રાજલક્ષ્મીનો સ્વામી છું.
આ સમુદ્ર સમસ્ત પૃથ્વી જીતી છે. દેવ, વિદ્યાધર ને રાજાઓને મેં મારે અધીન કર્યા છે. હું મહાન કુલકરોનો મહાન વંશધર, લોકમાન્ય, સર્વ ચક્રવર્તીઓમાં પ્રથમ ચક્રવર્તી છું.
“ચક્રવર્તી ભરતની સેનામાં ૧૮ કરોડ ઘોડા ને ૧૪ લાખ હાથી છે. એણે સમસ્ત પૃથ્વી અધીન કરી છે. ને છ ખંડ પૃથ્વીનો એ સ્વામી છે. આવો ભરત આ પૃથ્વી પર સૂર્ય તપે ને ચંદ્ર ચમકે ત્યાં સુધી પોતાની કીર્તિનો લેખ કોતરાવે છે !'
રાજા બાહુબલ આટલું બોલીને થોભ્યા. સભા આખી ચિત્રવત્ સ્તબ્ધ હતી.
રાજદૂત હંસે હવે વાતનો દોર ફેરવવાનો પ્રયત્ન કરતાં કહ્યું : 'હે રાજનું! આપના વડીલ બંધુની ગુણગરિમા એ આપની જ ગુણગરિમા લેખાય. એમનું મોં તો પોતાના સ્વજનો અને આપ્તજનોને યાદ કરતાં હંમેશાં સુકાયા કરે છે. કદાચ મારાથી સ્વામીભક્તિના જુસ્સામાં બે અક્ષર વધુ કહેવાયા હોય તો ક્ષમા કરશો. આપ જાણો છો કે ભક્તિમાં વિભક્તિનું ભાન નથી રહેતું.”
રે દૂત ! અમે સર્વ રીતે તારા પર પ્રસન્ન છીએ. પણ કોઈ વાત ખોટી સહન ન કરવી, એ અમારી નીતિ છે. એક ખોટી વાત સહન કરી લઈએ, એટલે ભૂંડી વીંછણની જેમ એને સો સો બચ્ચાં વિયાય છે ! હવે આગળ કહે, જે કહેવું હોય તે.'
રાજાજી ! સમસ્ત ભૂમંડલને “ભરતભૂમિનું અભિધાન આપી ચક્રવર્તી મહારાજ પાછા ફર્યા. વર્ષોથી સ્વજનોને મળ્યા નહોતા. પરમ તારણહાર પિતાજીનાં દર્શન કર્યા. માતાજીનાં પાયવંદન કર્યા. આપના વિષે તો એમને આશા હતી કે અભિષેક-મહોત્સવની તૈયારીમાં આપ અગાઉથી પધારશો.
તેવા ખબર તમે અમને મોકલ્યા હતા ખરા ?” રાજા બાહુબલે વચ્ચે જ પ્રશ્ન કર્યો. ૧૦૪ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org