________________
રાજા બાહુબલ આટલું બોલીને થોભ્યો. મંદમંદ આવેશમાં એમના મધુર હોઠ કંપતા હતા, પણ એમાંથી વહેતા મિષ્ટ શબ્દ-પ્રવાહને ઝીલવા સહુ ઉત્સુક દેખાતાં હતાં. રાજા બાહુબલની મોહિનીમૂર્તિ અત્યારે ગજબ વશીકરણ ઢોળતી હતી.
‘સભાજનો ! અહંકાર સદા હીણો છે. પોતાને આદિસમ્રાટ કહેવરાવતા રાજા ભરતદેવે જ્યારે શિલ્પીને શિલાલેખ કોતરવા કહ્યું, ત્યારે શિલ્પીએ બે હાથ જોડી કહ્યું : “સ્વામી ! એક તસુ પણ જમીન આપ શ્રીમાનનું સ્વનામધન્ય નામ આલેખવા માટે કોરી નથી. ન જાણે કેટલાય ચક્રવર્તીઓ આપની પહેલાં થયા છે, ને અહીં આવી પોતાના શિલાલેખ કોતરાવી ગયા છે ! હવે શું કરશું ?”
રાજા બાહુબલ અહીં થોભ્યા, ને દૂત તરફ જોઈને બોલ્યા : “રે દૂત ! તારા મહાન રાજાએ આનો ઉત્તર શું આપ્યો, એ આ સભાને તું જણાવી શકીશ?”
દૂત હંસ ઢીલો પડી ગયો હતો. એણે કહ્યું: ‘રાજાજી ! મોટાની વાતો મોટા સમજે. હું તો દૂત છું. સંદેશવાહક છું.”
“કંઈ ચિંતા નહિ. જે જીભે તેં તારા મહાન રાજાના ગુણ ગાયા, એ જીભે હવે અવગુણ ગાઈ ન શકે, એ સમજું છે. હું જ વાત પૂરી કરું છું. તારા મહાન રાજા....”
“ક્ષમા કરજો, રાજાજી ! રાજદૂત હંસ વચ્ચે જ બોલી ઊઠ્યો. એ ભરતદેવનો એકનિષ્ઠ સેવક હતો. ચક્રવર્તીની સેવા કરતાં કરતાં પ્રાણ વિસર્જન કરવા એ એનું વ્રત હતું. એ મનમાં સ્વામીની અપકીર્તિથી છંછેડાયેલા નાગ જેવો બની ગયો હતો. પણ દૂતનો ધર્મ અને ઠંડા પાણીની માટલી બનાવી રહ્યો હતો. એણે જરા દર્દભર્યા સ્વરે રાજા બાહુબલને પ્રશ્ન કર્યો :
‘આપ વારંવાર ચક્રવર્તીદેવ વિષે કહો છો, કે તારા મહાન રાજા.” પણ આપના એ શું છે ?
મારા વડીલ બંધુ છે, રાજદૂત હંસ ! તારી જીભે તારા મહાન રાજાની તેં અતિ પ્રશસ્તિ કરી, તો ધીરજ ધર અને સમજી લે કે પ્રશંસા એ નિંદાની બીજી બાજુ છે. સાંભળી લે પછીની વાત. જો તને ‘તારા મહાન રાજાના વિશેષણમાં ખોટું લાગતું હોય તો હું હવેથી “મારા વડીલ બંધુ કહીશ ! સભાજનો !” રાજા બાહુબલે સભા તરફ ફરતાં કહ્યું,
બાહુબલના દરબારમાં ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org