________________
એ લાખેણું સૈન્ય એક વાર નજરે નિહાળી અવતાર ધન્ય કરજો ! બોલો, રાજા બાહુબલદેવના વડીલ બંધુ ચક્રવર્તી ભરતરાજની જય !
આ જયનો પ્રતિઘોષ સભામાંથી પૂરો ન ઊઠ્યો. રાજા બાહુબલે જયધ્વનિનો નિનાદ કરતાં, એ વાચાળ દૂતની જિલ્લને અને કૌશલ્યને ડામવાનો નિશ્ચય કર્યો. પગના ગોઠણને જરા વાળી, દેહને વીરાસને ગોઠવતાં તેઓએ દૂતને ઉદ્દેશીને કહ્યું :
‘રે દૂત ! પૃથ્વી પર યુદ્ધ દ્વારા વિજય મેળવવો, પશુબળથી પ્રતાપ ફેલાવવો એમાં ઘણું ઘણું વિચારવા જેવું છે. ભય અને પ્રીત એ બે બળોની ઘણી તુલના કરવા જેવી છે. ભયની સાંકળ મજબૂત દેખાય છે, પણ એનો જલદી સર્વનાશ થાય છે; જ્યારે પ્રેમની સાંકળ કમજોર લાગે છે પણ એ અજેય પુરવાર થાય છે.”
રાજા બાહુબલ આટલું બોલીને થોભ્યા. મનના આવેગને લીધે એમના મુખ પર રક્ત કમલની શોભા ખીલી ઊઠી હતી. દૂત હંસ પણ એ રૂપને નેત્રો દ્વારા પી રહ્યો.
રાજા બાહુબલે આગળ બોલતાં કહ્યું : “તાબેદારી કોઈએ કોઈની સ્વીકારવી એ જો ખરાબ વસ્તુ હોય, તો ભૂમંડલને તાબેદાર કરવાથી શું વળ્યું? હારેલાની કન્યાઓ, શ્રીમંતોના હાથી અને પરાજિતોના પ્રદેશો લીધા, એમાં જ શું બળોની સાર્થકતા તું માને છે ?'
રાજા બાહુબલે થોડી વાર ચૂપ રહી આગળ કહ્યું,
મને અફસોસ થાય છે તારી આવી વાણીથી ! જે રાજાના સેવકો સર્વથા પ્રશંસા કરનાર હોય છે તે પોતાનો દોષ કદી સમજી કે જોઈ શકતા નથી. હંસ ! મારા વડીલ બંધુથી શું આટલા યુદ્ધ દરમિયાન કંઈ અનુચિત કાર્ય નથી થયું ? કહેવાય છે કે યુદ્ધમાં ઘણું ઘણું અનુચિત થાય છે. તમે તમારા સ્વામીને યુદ્ધનો કેફ ને વિજયની લાલસા આપી ઠીક ઠીક પૃથ્વી પર ભમાવ્યા ! અને એક પ્રશ્ન એ પણ છે, કે રાજા યુદ્ધ ચઢે, પછી એની અનુપસ્થિતિમાં અનુચરવર્ગ પ્રજાનું કલ્યાણ કેટલું કરે ? અને વારુ, તમારી સામે કેટલા રાજાઓએ માથાં ઊંચક્યાં હતાં કે તમે યુદ્ધે ચડ્યા ?” રાજા બાહુબલે એકસાથે અનેક પ્રશ્નો પૂછી નાખ્યા.
હંસ કુશળ હતો. એને ખ્યાલ આવી ગયો કે પોતાની ભાષાનો અર્થ તેમણે પડકી લીધો છે. એણે જરા નમ્ર બનતાં કહ્યું :
બાહુબલના દરબારમાં ૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org