________________
બનાવી દીધું ! અરે, હિમાવાન પર્વતના એ ભાગમાં જ્યાંથી ગંગા નદી નીકળી છે, ત્યાં ચક્રવર્તીદેવ ગયા. ત્યાંનાં ગંગાદેવીએ પોતાનું સર્વસ્વ તેમને અર્પણ કર્યું. સિંધુ નદીવાસિની સિંધુદેવીની પણ એ જ કથા છે. વિદ્યાધરોના સ્વામી નમિરાજ અને વિનમિરાજે ઘણો સામનો કર્યો, પણ આખરે એને પોતાની પુત્રી સુભદ્રાદેવી આપી આધીનતા સ્વીકાર કરવી પડી. આ સુભદ્રાદેવી એટલે કોણ, એ જાણો છો ?” હંસે વાત કરતાં કરતાં સભાને પ્રશ્ન કર્યો.
જવાબમાં રાજસભા નિરુત્તર રહી.
હિંસે જરા ખોંખારો ખાઈ કહ્યું: “સંસારની સમસ્ત સુંદરીઓ જેના સૌંદર્ય પાસે પોતાને વામન અને વિરૂપ લેખે છે, એ સંસારનું સર્વોત્તમ સ્ત્રીરત્ન તે સુભદ્રાદેવી ! એમના શ્વાસમાં જગતની કસ્તુરીનો સાર છે. એમના સ્પર્શમાં સંસારનાં સર્વ કમળોની કોમળતા છે. એમના વર્ણમાં ચંદ્રની ચાંદનીનો સર્વ સંગ્રહ છે. અને એમને એક વાર નીરખવામાં માનવજીવનની કૃતાર્થતા છે ! ગમે તેવા હિરા કે રત્નને બે આંગળી વચ્ચે લઈ, ચપટીમાં દાબી માટીના ઢેફાની જેમ એ ચુર્ણચૂર્ણ કરી નાખે છે. મહારાજા ભરતદેવ એમના માટે વિશાળ અને ભવ્ય અરીસાભવન બાંધી રહ્યા છે, જે સંસારનાં સર્વ ભવનોમાં સારરૂપ બનશે. '
રાજા બાહુબલ જરા ઊંચા-નીચા થતા હતા. તેઓ દૂતના સંભાષણમાં વહેતા વ્યંગ્ય અને છુપાયેલા કટાક્ષ વિચારી રહ્યા હતા. મનમાં હિંસક પ્રતિયોગિતા જાગે, એવું શબ્દબળ દૂતની ભાષામાં એ નીરખી રહ્યા હતા.
સભા તો ચક્રવર્તીનું પરાક્રમ અને એમની વિજયવાર્તા સાંભળી મંત્રમુગ્ધ થઈ ગઈ હતી.
હંસે આગળ ચલાયું :
‘તમિસ્રા ગુફાને જીતનાર ને મ્લેચ્છ રાજાઓને વશ કરનાર મહાન બલવાન ચક્રવર્તીદેવનાં ગુણગાન ખુદ શેષનાગ પણ હજાર જિલથી કરી શકે તેમ નથી. સંસારમાં ચક્રવર્તી કોઈ થયા નથી, ને કોઈ થવાના નથી ! જે પ્રજા આવા સ્વામીના શાસનમાં છે, એ ખરેખર ધન્ય છે ! કવિઓ આવા મહાન રાજરાજેશ્વરનાં ગુણગાન ગાવામાં જિંદગી ન્યોછાવર કરી બેઠા છે ! રાજાઓ એમની આધીનતાને પોતાની શરમ નહિ, શોભા માની રહ્યા છે. જેમ સૂરજ પાસે અસંખ્ય તારક પોતાનું અસ્તિત્વ વિલીન કરી દે, એમ બધા રાજાઓ પોતાનું અસ્તિત્વ એમને અર્પણ કરી બેઠા છે ! વધુ તો શું કહું ? એ અદ્ભુત નગરી, એ લાખેણો નર, એ પરમ રૂપનો અવતાર નારી અને ૧૦૦ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org