________________
વિજયનું પણ એવું જ છે. નામ સાંભળીને ભલભલા નમી પડ્યા. તપ અને શૌર્યની મૂર્તિ ભરતદેવ મહારાજને ક્યાંક તો માત્ર યુદ્ધના અઢી શબ્દોના ઉચ્ચારથી કામની સિદ્ધિ થઈ ગઈ; ક્યાંક માત્ર સૈન્યદર્શને વિજય હસ્તગત કરાયો : ક્યાંક માત્ર એક જ તીરે તમામ કામ સિદ્ધ કર્યું !”
રાજદૂત હંસ થોભ્યો. એણે સભા પર એક નજર ફેરવી, ને ફરી આગળ બોલવું શરૂ કર્યું,
“શું વ્યંતર રાજાઓ કે શું વિદ્યાધર ભૂપાલો, શું યલો કે શું કિન્નરો, શું પ્લેચ્છ કે શું યવનો, ચક્રવર્તીદેવની ભેરીના શબ્દ માત્રથી થરથર કંપતા સામે ચાલીને આવ્યા ને શરણાગતિ સ્વીકારી નિર્ભય થયા. ચક્રવર્તી દેવને તો માત્ર અધીનતા જ ખપતી હતી. રાજ તો જેનું હતું તેનું રહેવાનું હતું! ચક્રવર્તી દેવનું યુદ્ધ-નિર્માણ માત્ર દુષ્ટોનું દમન કરી એમનો નિગ્રહ કરવા માટે અને શિષ્ટોની રક્ષા કરી અનુગ્રહ કરવા માટે જ છે ને !'
હંસે છેલ્લાં વાક્યો પર ખાસ ભાર મૂક્યો. અને સભા તરફ જોતાં આગળ ચલાવ્યું :
‘વિજયાર્ધ પર્વતના વજકપાટને એક જ પ્રહારે જમીનદોસ્ત કરનાર ચક્રવર્તીદવને ત્યાંના રહેવાસીઓ હજીયે યાદ કરે છે, અને તેમની પ્રજા તરીકે પોતાની ગણના કરાવતાં ગર્વ અનુભવે છે. અને એ વજપાટને છેલ્લો પ્રહાર કરતાં ચક્રવર્તીદેવના અશ્વે જે પાછલા પગે બાર ગાઉ પ્રયાણ કરી, છલાંગ મારી અને એ વખતે ચક્રવર્તીદેવની જે રૂપશોભા નીરખાણી, એ જોઈ હજારો સુંદરીઓ ચક્રવર્તી જેવા વરને વરવા આજીવન બ્રહ્મા ચારિણી બની બેઠી છે !”
હંસના આ શબ્દોએ રાજા બાહુબલને ચમકાવ્યા, પણ તેઓ દૂતની શબ્દચાતુરી સમજી શાંત રહ્યા.
હંસ આગળ વધ્યો. એની જીભ સ્વામીની પ્રશસ્તિમાં પ્રફુલ્લ બની ગઈ હતી. એણે સભા તરફ જોતાં કહ્યું :
“હે મહાનુભાવો ! કામદેવના અવતાર રાજા બાહુબલના વડીલ બંધુ ભરતદેવ ચક્રવર્તીની આ વિજયકથા અતિ અદ્ભુત અને રમ્ય છે. પંચશરના દરબારમાં હું તેને કેવી રીતે વિસ્તારથી કહી શકું ? સમય અલ્પ છે, સ્તુતિ અનન્ત-અગાધ છે. અરે ! એક વાર બે ભૂત રાજાઓએ ભયંકર વૃષ્ટિ કરી, અને વર્ષાનું બધું જળ છાવણીમાં વાળ્યું. એ વખતનું ચક્રવર્તી દેવનું અદ્ભુત વિજ્ઞાનકૌશલ્ય તો જેણે નજરે જોયું હોય એ જ જાણે. જળને એમણે સ્થળ
બાહુબલના દરબારમાં ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org