________________
એ બાથમાંથી છૂટી નીચો નમ્યો, ને અયોધ્યાથી આણેલું નકશીદાર સુવર્ણકમળ ચરણમાં મૂકી એણે પ્રણિપાત કર્યા.
રાજા બાહુબલ પ્રેમમોતી વરસાવતા હોય તેવા સ્વરે બોલ્યા : રે રાજદૂત! અમે તારું સ્વાગત કરીએ છીએ. અમારા વડીલબંધુ શ્રી ભરતદેવ કુશળ તો છે ને ?”
રાજદૂત હંસ ભરતરાજનો પરમ અનુયાયી અને ચુસ્ત ઉપાસક હતો. એને પોતાના મહાન સ્વામી માટે “ભરતદેવ એટલા સાદા શબ્દો જરા ખેંચ્યા. એણે જરા ગર્વપૂર્વક મસ્તક ઊંચું કરતાં કહ્યું :
છ ખંડને જીતનાર, અખંડ ભૂમંડલના રાજરાજેશ્વર, પરમ ભટ્ટારક. વિદ્યાધર-વ્યંતરસેવિત, ચક્રવર્તીરાજ મહારાજ ભરતદેવ જગતને કુશળ આપનાર છે. પછી એમને અકુશળ ક્યાંથી સંભવે ?”
રાજા બાહુબલને આ વાણી સુગંધભર્યા કેવડાના કાંટાની જેમ ખૂંચી, છતાં ઉત્સાહભેર તેઓ સ્વજન-સંબંધીની કુશળતા પૂછવા લાગ્યા. એ પૂક્યા પછી પોતાની પ્રિય નગરી અયોધ્યાને વિષે તેમણે પૃચ્છા કરી. આ પૃચ્છા કરતી વખતે રાજા બાહુબલના સુકુમાર મુખ પર બાલ્યભાવની રેખાઓ અંકાઈ ગઈ. તેમણે પૂછ્યું :
રે હંસ ! પરમપિતા ભગવાન ઋષભદેવની અયોધ્યાનગરીની પ્રજા આર્યભરતના રાજ્ય વિષે કુશળ તો છે ને ?”
હંસને આર્ય ભરત એટલા સાદા શબ્દો ન રુચ્યા પણ તેણે તે ગળી જઈને કહ્યું :
જે દેવોને પણ કુશળતા અર્પે છે, એની પ્રજાને અકુશળતા કેવી ? પુત્ર પિતાના વૈભવને શતગુણ વૃદ્ધિગત કર્યો છે.”
પિતાનો વૈભવ !' રાજા બાહુબલે શબ્દો બોલતાં જાણે અંતરમાં કોઈને પ્રણામ કર્યા, ને પછી દૂતને પૂછ્યું : “છ ખંડ પૃથ્વીનો વિજય તો નિર્વિને પૂરો થયો છે ને ? એ તો યુદ્ધની વાત ! એમાં ક્યારે શું થાય એ કંઈ ન કહેવાય. એમાં બધે મંગળ જ વર્યું છે ને ?”
રાજદૂત હંસને લાગ્યું કે અત્યારે પોતાના રાજવીની પરાક્રમગાથા પ્રગટ કરવાની તક છે. એણે જરા છાતી ફુલાવી છટાથી કહેવા માંડ્યું.
“રાજન ! સૂરજ સામે કોણ બાકરી બાંધે છે રાત ગમે તેવડી મહાન હોય, પણ સૂરજના સ્પર્શે બિચારી કેવી ઓગળી જાય છે ! ભરત–બાહુબલીના ૯૮ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org