________________
૧૪
બાહુબલના દરબારમાં
સ્વર્ગની કલ્પના સહુ કોઈને હતી અને સ્વર્ગના રાજા ઇન્દ્રનાં રૂપસ્વરૂપ વિષે સહુ ઘણી ઘણી વાતો કરતા. પણ સ્વર્ગ કેવું હોય ને સ્વર્ગના રાજા કેવા હોય, એ વિષે પ્રત્યક્ષ પરિચય કોઈને નહોતો. પણ કેટલાક એમ જરૂર કહેતા કે સ્વર્ગ સાકાર કરવું હોય ત્યારે તક્ષશિલા નગરીનો સુવસન્તિકા’ કે ‘શાલભંજિકા ઉત્સવ નીરખવો; અને સ્વર્ગના અધિરાજ ઇંદ્રની પ્રતિમૂર્તિ નીરખવી હોય તો રાજા બાહુબલને જોવા.
સ્વર્ગના સ્વામીના રૂપગુણ વિષે કવિઓ જે કલ્પના કરતા, ને શાસ્ત્રકારો પોતાની જીભે જે વર્ણન કરતા એનો નમૂનો રાજા બાહુબલ હતા ! એ કામદેવના અવતાર લેખાતા, અને એમનો દરબાર પંચશરનો દરબાર કહેવાતો.
સંસારવિશ્રુત આ ક્વેિદત્તીનું સત્ય રાજદૂત હંસે સભાપ્રવેશ સાથે જ અનુભવી લીધું. ઇન્દ્રસભા જેવી આ સુંદર સભા હતી, ને ઇંદ્રરાજ જેવા તેજસ્વી આ રાજા હતા ! મધુર, મનોહર સૌંદર્યની પ્રતિમા જેવા રાજા બાહુબલ હતા. એમની દેહયષ્ટિ પ્રચંડ હતી, પણ જેટલી પ્રચંડ તેટલી પ્રસન્નમધુર હતી ! આખા દેહમંડળ પર તેજનું એક આછું મધુર વર્તુલ રમતું હતું. જે તેજમાં સ્ત્રી તો શું પુરુષ પણ મુગ્ધ થઈ જતો.
રાજા બાહુબલનાં અંગોમાં કવિતાનું સૌંદર્ય ને અલંકારની સુશ્રી ઊભરાતી હતી. રોમેરોમમાંથી જુવાનીની મહેક જાગતી હતી. લાંબા સુંવાળા કેશ એમના પૌરુષેયના પ્રતાપમાં ઓર વધારો કરતા હતા, ને નાનાશાં કર્ણફૂલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org