________________
અહીં આવો ! જુઓ આ મારા ગાલ ! એક સ્ત્રી આવી અને હંસને મધુમંજરીની નજીક ઘસડી ગઈ.
હંસ ચિત્કાર કરીને બોલ્યો : “અમારા રાજા ભરત–બાહુબલીની આજ્ઞા છે, કે સૈનિકે સ્ત્રી સામે નજર ઉઠાવીને પણ જોવું નહિ.'
“વાહ તમારા રાજાની હોશિયારી ! એ જાણે છે, કે તમે સ્ત્રી સામે જુઓ તો તમારી દીકરી, બહેન, પત્ની યાદ આવે ! ભાઈ, બાપ ને પુત્ર યાદ આવે ! અને પછી યુદ્ધના નરસંહારમાં તમને રસ ન રહે. વારુ, સ્ત્રીનાં સુંદર અંગો પાસે જવું, એ પણ પ્રબળ પુરુષાતન માગે છે ! ભલે, જરા દૂરથી જ નિહાળો !”
મધુમંજરીએ પોતાના ગૌર ગાલ તેના તરફ ધર્યા. સૌંદર્યની કવિતા સદેહે નિહાળતો હોય એમ હંસ એ ગાલની લાલીને નિહાળી રહ્યો.
પરદેશી ! આ સ્નેહની મુદ્રા છે. મારું નામ સ્નેહમુદ્રા. અયોધ્યામાં આવું ત્યારે આ નામ યાદ રહેશે ને ?”
‘જરૂર !” ટૂંકો જવાબ આપી હંસ આગળ વધ્યો.
‘ને એ પરદેશી–' સ્નેહમુદ્રાએ હંસના વસ્ત્રનો પાલવ પકડીને એને થંભાવતાં કહ્યું.
અયોધ્યા હોત તો હંસ આવી ધૃષ્ટ સ્ત્રીનું અપમાન કરી નાખત. પણ અહીંની સ્ત્રીઓને તેજપ્રભાવ એવો હતો કે માણસને એનું અપમાન કરવું અયુક્ત લાગે.
શું કંઈ કહેવાનું શેષ છે ?? હસે પૂછ્યું.
“હા, મારા રાજાને મેં આ નિર્ણય સંભળાવ્યો, ત્યારે તેમણે કહ્યું કે રે સ્નેહમુદ્રા ! સ્વર, સૂર ને અક્ષરની સ્વર્ગમાં વસનારી દેવીનું નામ સરસ્વતી છે. તું જ્યારે સ્વર-સૂરની અધિષ્ઠાત્રી બનીશ, ત્યારે હું તને જીવંત સરસ્વતીનું ઉપનામ આપીશ. એ વખતે મોટો ઉત્સવ થશે. મારા રાજા એ સરસ્વતી ઉત્સવ કરે, ત્યારે ઓ અયોધ્યાવાસી હંસ ! તું તારા રાજા સાથે અહીં આવીશ
‘શા માટે નહિ ? નિમંત્રણ તો પાઠવશો ને ?” હંસે કહ્યું.
“અરે ! નિમંત્રણ તો લડાઈમાં હોય, અહીં તો કાવ્યગતિ સાંભળવા વગર નિમંત્રણે બધાં આવે છે !” સ્નેહમુદ્રાએ કહ્યું.
‘સારું ? ને આ લપથી પલ્લો છોડાવવા હંસ આગળ વધ્યો, એટલું જ નહિ, આગળ દોડ્યો.
સ્નેહમુદ્રા ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org