________________
“ના. હંસે જવાબ આપ્યો. એ આગળ વધવા માટે ચારેતરફ જોતો લાગ શોધતો હતો, પણ ચંપક કાષ્ઠના રથ એનો માર્ગ રોકીને ખડા હતા.
વાહ રે પરદેશી ! સાવ અજ્ઞાન લાગો છો ! એ તો અમારા મહારાજ બાહુબલની ઓષ્ઠમુદ્રા છે. આ મધુમંજરી આજની કવિસભામાં અગ્રગણ્ય ઠરી. એની કવિતાએ સહુનાં મન જીતી લીધાં. આજના દિવસની એ અધિષ્ઠાત્રી ઠરી. અમારે ત્યાં એવો નિયમ છે કે જે સર્વોત્તમ સાબિત થાય એનો અભિષેક થાય. રાજા પોતે એને અભિષેક કરે, તાંબુલ આપે અને તે રસિક કવયિત્રીના ગોરા ગાલ પર ચુંબન ચોડે. આજના ચુંબનની એ અધિકારિણી કરી છે. હવે એ ઘેલી શું કહે છે, એ જાણો છો ?”
એક વાત પૂરી થતાં થતાં, પેલી વાતોડિયણે બીજો પ્રશ્ન એની સાથે સાંકળી લીધો.
લાચાર બિચારો હંસ ! એ કદમ ચલાવવા માગતો હતો, ત્યાં એને ફરી જીભ ચલાવવી પડી. એ નિરુપાય હતો. વજની બેડીઓ તોડવાનો અનુભવી હતો, પણ પ્રેમની બેડીઓ તોડવાનો જરાય અનુભવ નહોતો. એણે ફરી કહ્યું,
હું કંઈ અંતર્યામી નથી.”
જુઓ, આ પૃથ્વી પર અંતર્યામી તો એકલા ભગવાન ઋષભદેવ છે. પણ આ એના અંતરની વાત એણે અમને કરી, તેથી અમે જાણીએ છીએ. મધુમંજરી કહે છે કે, મારા રાજાએ આપેલી સ્નેહમુદ્રા એ મારી જીવનમુદ્રા. હું તપસ્વિની બ્રાહ્મીદેવી પાસે જઈશ ને અક્ષર, સ્વર અને સૂર પાછળ જીવન વિતાવીશ. હવે આ ઓષ્ઠ બીજાથી અસ્પૃશ્ય ! આ દેહની સાર્થકતા માત્ર અક્ષર, સ્વર ને સૂર સિદ્ધ કરવામાં. એ કહે છે કે હું અયોધ્યા જઈશ. મહારાજ ભરતદેવને મળીશ. તેમનું નૃત્ય-ગીતિ-શાસ્ત્ર શીખીશ. અયોધ્યા આવે ત્યારે તમે તેને મદદ કરશો ને ?” બોલનારી ભારે ચતુરા હતી. એ એવી વાકલા વાપરતી હતી કે, એની આગળ હંસ જેવા વિખ્યાત વાક્પટુની વાણી પણ પંગુ બની ગઈ હતી.
જરૂર આવો, મધુમંજરીબહેન !
પરદેશી સજ્જન ! મને મારા નવા નામે બોલાવો. શું તમે મારું નવું નામ નથી જાણતા ?” મધુમંજરી બોલી.
ના, દેવી ના ! હંસ હવે આવા વિનોદથી થાક્યો હતો, પણ કંઈક આડુંઅવળું બોલી જોખમ ઊભું કરવા ઇચ્છતો નહોતો. ૯૪ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org