________________
પ્રવાસ ? ક્યાં જવું છે ?”
હંસને આ ક્યાં જવાના પ્રશ્ન ફરી મૂંઝવી નાખ્યો -- રખેને પેલી નવયૌવનાવાળા પ્રસંગની ફરી પુનરાવૃત્તિ ન થાય ! એણે કહ્યું: “મારે મહારાજ બાહુબલને મળવું છે, અગત્યનું રાજકાજ છે.'
તો ભાઈ પરદેશી ! બઢો આગે. રાજકાજમાં અમે માથું મારતાં નથી. અમારા રાજા પણ અનિવાર્ય હોય ત્યારે જ એમાં રસ લે છે. એ તો કહે છે કે વધુ પડતો રાજરંગ માણસને મહત્ત્વાકાંક્ષી બનાવે છે, ને મહત્ત્વાકાંક્ષી શું પાપ નથી કરતો ? માટે રાજરંગ તો અનિવાર્ય હોય ત્યારે માણવો, બાકી આ પ્રેમરંગ અને પછી ભગવાન ઋષભદેવે શીખવેલો ધર્મરંગ ! ભાઈ ! આગળ વધો. આગળ વધો. મહારાજ હમણાં જ કવિસભામાંથી નિવૃત્ત થઈ દરબારમાં ગયા છે.”
આભાર તમ સહુનો,” બોલતો બોલતો હંસ આગળ વધી ગયો. પણ એ પહેલાં કેટલીક રસિકાઓ તેની પાસે આવી પહોંચી હતી, ને કર્ણમાં, કંઠમાં, બાજુબંધ પર પુષ્પોનો શણગાર પહેરાવી ગઈ હતી ! કપાળમાં કુમકુમ અને ગાલ પર કસ્તૂરી લગાવી ગઈ હતી.
- હંસને તો “માન, ન માન, મેં તેરા મહેમાન જેવું બન્યું હતું ! કુમકુમ કરતી સુંદરીએ કહ્યું :
પરદેશી ભાઈ! અહીં તો મરતો માણસ પણ શણગાર કરીને મરે છે, પછી જીવતા માણસની તો વાત જ શી ? આ શણગાર અમે તમારા સારા માટે કર્યો નથી, અમારી આંખ જ કોઈને કદરૂપું જોઈ શકતી નથી, માટે કર્યો છે ! તમારા ગાલ પર કસ્તૂરી લગાવનારી મધુમંજરી કોણ છે, એ જાણો છો ?'
છૂટતો છૂટતો હંસ વળી ફસાતો લાગ્યો. જવાબ આપ્યા વગર આગળ કદમ ભરાય તેમ પણ નહોતું. એણે ડોકું ધુણાવીને કહ્યું, “તમે જેને આટલું મહત્ત્વ આપ્યું એ મધુમંજરીને તો હું પિછાણતો પણ નથી !'
એટલામાં તો થનક થનક કરતી મધુમંજરી આગળ આવીને ઊભી. ‘તમે તેના ગૌર ગાલ જોયા ?” પેલી સ્ત્રીએ પ્રશ્ન કર્યો. હા.' હંસે ટૂંકાક્ષરી જવાબ આપ્યો. એ ગાલ પર લાલ મુદ્રા અંકિત થયેલી છે, તે જોઈ ?
‘હા.' હંસ જાણે પરાણે જવાબ આપતો હતો. કારાગૃહમાંથી તાજી જ મુક્તિ મેળવનાર કેદી જેવી એની મનોદશા હતી. ‘એ શું છે ?_જાણો છો ?
સ્નેહમુદ્રાકલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org