________________
૧૩
સ્નેહમુદ્રા
બાહુબલ રાજાની નગરી દેવનગરી જેવી દેદીપ્યમાન હતી. ને ઇન્દ્રધનુષ્યના સપ્તરંગોથી બનાવેલી હોય, એવી દૂરથી જોનારને લાગતી. ઊંચાં હર્મશિખરો ૫૨ મયૂરો કેલી કરતા અને વાદળોમાં રંગબેરંગી સોનેરીરૂપેરી પંખીઓ રમતાં !
અશાંતિનો, કલહનો, ઈર્ષ્યાનો વિચાર સરખો પણ ન આવે, એવી આ નગરી હતી, પ્રેમ, પ્રેમ ને પ્રેમ ! મા પુત્રને પ્રેમ કરે, પુત્ર પિતાને પ્રેમ કરે, બંધુ બંધુને પ્રેમ કરે, પત્ની પતિને ચાહે, પતિ પત્નીને ચાહે, શંકા—કુશંકા જન્મે જ નહિ બસ એ જ અહીંનું જીવનમધું હતું !
યુદ્ધનો વિચાર લગભગ અહીં નવો હતો. અહીંનાં વાદ્યોમાંથી લોહીની તરસ જગાડે એવો સ્વરનાદ ન નીકળતો. સ્ત્રી-પુરુષો સુંદર શણગાર સજી, પગ થનગનાવતાં, મસ્તક મંજરીઓથી ડોલાવતાં, રાસ રમવા આવતાં અને મધુરનાદનું ગુંજન કરતાં.
અહીંની હવામાં પરોઢની તાજગી હતી. અહીંના અજવાળામાં ઉષાના રંગો હતાં. લોહી તો આ ભુમિએ ભાળ્યું નહોતું. જૂના વખતમાં ભૂખની આગ માનવીને શિકાર તરફ દોરી જતી; ન છૂટકે એ જીવને હણતા; પણ ભગવાન ઋષભદેવે ખેતી શિખવાડી, ગૌપાલન ને પશુપાલન શિખવાડ્યું, ત્યારથી રક્તની વાત સહુ ભૂલી ગયાં હતાં. રાતો રંગ માત્ર સુંદર નર-નારજ વાપરતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org