________________
માનવતા જાગે છે, એને સંસારની વેદના લાગે છે; પણ એ ભૂલવા એ બુદ્ધિને કેફ કરાવે છે.
મનને એ સૌંદર્યનો ભોગ ધરાવે છે; હૃદયને મોટાઈની હીન મહત્ત્વાકાંક્ષામાં રાચતું કરે છે.
મદ્ય એને ક્રૂર બનાવે છે. સૌંદર્યલોભ એને પશુથી હીન બનાવે છે; અને એ યુદ્ધદીવાનો પોતાના જગતમાં નાચે છે.
આવું યુદ્ધ અહીં કદી આવ્યું નહોતું.
યુદ્ધ શા કારણે આવે, એની કોઈને કશી કલ્પના નહોતી. પૂરતું પોષણ અને પૂરતો આરામ સહુને સહજ રીતે મળી રહેતાં.
મારા-તારાના એવા મોટા ઝઘડા નહોતા. ઝઘડા જાગતા તો બે મીઠા શબ્દથી કે આંખનાં બે આંસુથી શાન્ત થઈ જતા.
યુદ્ધ નહોતું એટલે પુરુષનું વર્ચસ્વ નહોતું. સ્ત્રી પુરુષ સમાન અધિકાર ધરાવતી હતી.
‘આહ ! આવી મનમોહન ભૂમિ પર યુદ્ધ આવે તો ?”
રાજદૂત હંસના મનોદેશમાં આપોઆપ એક ભયંકર વેદના જાગી. વીંછીએ જાણે ડંખ દીધો. ફરીથી એના મને પોકાર કર્યો :
‘આહ ! આ ભૂમિ પર યુદ્ધ આવે તો ? તો આ નૈસર્ગિક રમ્યતાનો વિનાશક દાનવ હું જ ઠરું ! સ્વપ્ન સમી સુંદર આ સૃષ્ટિનો નાશ કરનાર પાપી હું જ બનું !'
હંસ ખેદ સાથે બે ઘડી ઊભો રહી ગયો. મધુ જેવી મીઠી મધુમક્ષિકા આગળ નીકળી ગઈ. આ તો ઉત્સવરસિયાં નર—નાર !
હંસ વિચાર કરતો ઊભો રહ્યો : એક જ યુદ્ધ, અને આ બધી મનોહરતા ભસ્મિભૂત ! એના આ વિચારના પ્રત્યાઘાતમાં જ ન હોય તેમ પડખેની દીવાલ પરની સુંદર ફૂલવેલ એકાએક કરમાઈ ગઈ !
અરે ! પાસેના આમ્રવૃક્ષ પર બેસી બંસી વગાડતી એક રસિક નારીના બંસીના સ્વરો સાવ પલટાઈ ગયા. એ બંસીના સ્વરસૌંદર્યનું પાન કરતા, સ્વૈરવિહાર માણી રહેલા ગોપયુવાનો દોડતા આવ્યા ને બોલ્યા :
ઓ રસિકે ! આ તે તેં બંસી વગાડવા માંડી, કે વાંસની ભૂંગળીથી અગ્નિને ફૂંકવા માંડ્યો ? એ સાંભળીને તો દૂધ દેતી ગાયો દૂધ ચોરી લે ! સાવ અપરિચિત સ્વરો ! બંધ કર તારી આ બંસી !'
યુદ્ધ વિનાની ભૂમિ * ૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org