SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ નર કેવાનર રાજા જયસિંહ ગુજરાતનો રાજા છે. એને ગુજરાતને ઘડવી છે. ગુજરાતનું નામ જગમાં જાણીતું કરવું છે. એને ચક્વર્તી રાજા થવું છે. પિતા કરણદેવનો પ્રતાપ એને વર્યો છે. માતા મિનળદેવીનો અદલ ઇન્સાફ એની નસેનસમાં છે. ' છે તો જુવાનિયો, પણ બીજા રાજકુમારોની જેમ એ સુંવાળો નથી. મદનપાલ જેવા મહાજોદ્ધાને એણે હણ્યો છે. અને બાબરા ભૂત જેવા ભૂતને એણે એક્લે હાથે હરાવ્યો છે. મોટા-મોટા મલ્લોથી પણ મુશ્કેલ કમ આ નવજુવાન રાજાએ કર્યો છે. લોકે હે છે, કે એણે વિક્રમ રાજાની જેમ વાદિવેતાલ સિદ્ધ કર્યો છે : એ “સિદ્ધરાજ' છે. લોકે રાજા જયસિંહ કરતાં એને રાજા સિદ્ધરાજને નામે વધુ ઓળખવા લાગ્યા છે. કોઈ સધરા જેસંગ કહે છે. સધરો એટલે સિદ્ધ ! હતો તો સાત ખોટનો દીકરો, પણ માએ પાણા પર સુવાડીને મોટો કર્યો ૭૦ ઉદા મહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004517
Book TitleUda Mehta
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy