________________
એ ચાલ્યો ગયો હતો. વરસો વીતી ગયાં હતાં. જીવે છે કે મરી ગયો છે, તેનોય પત્તો નહોતો.
પરિષદ પાસે તપાસવા જેવા બે યુવક હતા. પહેલા યુવકને મંત્રી પરિષદે બોલાવ્યો.
એ યુવક આવ્યો, અને સિંહાસન પર બેઠો. પણ એની બેસવાની રીત ઈને ન ગમી. રીત ગ્રામ્ય લાગી. વળી, એણે સિંહાસન પર બેસીને મંત્રીપરિષદને હાથ જોડી પ્રણામ કર્યા.
તરત મંત્રીપરિષદે જાહેર કર્યું,
આ યુવક મહરાજ સિદ્ધરાજની પ્રતાપી ગાદીને યોગ્ય નથી. સિંહની ગાદી પર સિંહ જેવો ગર્જતો નર જોઈએ, નમતો નર નહિ !'
બીજા યુવકને હાજર ર્યો. એ યુવક રોબંધ સિંહાસન પર બેસી ગયો. મંત્રીપરિષદે એ પછી પ્રશ્ન ક્ય. તમે રાજ કેવી રીતે ચલાવશો ?'
“આપ બધા જે સલાહ અને હુક્મ આપશો તે રીતે !” યુવકે જવાબ વાળ્યો.
મંત્રીપરિષદને આ જવાબ ન રુચ્યો. આવો રાજા તો પ્રધાનોના હાથમાં રમકડાના પૂતળાની જેમ રમે. સધરા જેસંગની તેજ પરંપરાને એ ન જાળવી શકે.
પ્રતાપી રાજાના સ્થાને પ્રતાપી પુરુષ જ જોઈએ. ગુજરાતના તેજસ્વી ઝંડાને આગળ ધપાવનાર જોઈએ.
આ વખતે એકાએક દરવાજા પાસે ધમાલ મચી રહી. હોહા થઈ. બોલાચાલી થતી જણાઈ. જોયું તો
મહાસામંત કન્હડદેવ ગૌરવભરી ચાલે આવી રહ્યા છે. એમની આગળ એક રાજકુમાર ચાલે છે. એ રાજકુમારની ઉંમર તો છે પચાસ વર્ષની, પણ ચાલમાં હાથીનું ગૌરવ
ગુરુવાણી ફળી ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org