________________
૧૫
ગુરુવાણી ફળી વખતને જતાં કંઈ વાર લાગે છે? જોતજોતામાં સાત વરસ વીતી ગયાં.
ગુજરાતની વાડીને ખીલવીને મહારાજ સિદ્ધરાજ જયસિંહ આરામગાહમાં પોઢી ગયા. મહારાજાને પુત્ર નહોતો. ગુજરાતની ગાદી ખાલી પડી.
મોટા મોટા મંત્રીઓ, સામંતો અને નગરજનો એકઠા થયા. ગુજરાતના ડાહ્યા માણસો એકઠા મળ્યા. તેઓએ રાજાની પસંદગી કરવા માટે એક પરિષદ ચૂંટી કઢી.
સહુએ નક્કી કર્યું કે રાજા ગુજરાતના ગૌરવને દીપાવે તેવો જોઈએ, રેંજીપેંજી ન ચાલે.
પરિષદે પોતાનું કામ શરૂ કર્યું.
મહારાજ સિદ્ધરાજને ત્રણ પિતરાઈ ભાઈ હતા -- કબ દેવપ્રસાદના ત્રણ દિકરા હતા. એનું નામ કિર્તિપાલ, બીજાનું નામ મહીપાલ, ત્રીજાનું નામ કુમારપાળ.
કુમારપાળ પર મહારાજ સિદ્ધરાજની લાલ આંખ હતી. ગુજરાત છોડીને
૯૮ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org