SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ વરૂને ઘેટાની વાત ઉદા મહેતા ને કુમારપાળ ગુરુદેવ હેમચંદ્રાચાર્ય પાસે જઈને બેઠા. ગુરુ-વાણીમાં શ્રદ્ધા રાખનાર ઉદ મહેતાને હવે કંઈ ધેવાનું નહોતું, પણ હજી તેનું મન શાંત થયું નહોતું. આચાર્ય હેમચંદ્ર કહ્યું : પેલી ઘેટાની વાત તો સાંભળી છે ને! ઝરણાંને કંઠે એક ઘેટું પાણી પીતું હતું. એ વખતે એક વરુ ત્યાં આવ્યું. એણે ઘેટાને જોયું, ઘેટાને ખાઈ જવાની ઇચ્છા થઈ; પણ વાંકગુના વગર કેમ ખવાય ? એટલે વરુએ ક્યું : અલ્યા, તારું એઠું પાણી અહીં આવે છે.” હજાર, તમારી પાસેથી પાણી મારી પાસે આવે છે. ઘેટું બોલ્યું. વરુ આંખ લાલચોળ કરીને બોલ્યું : “બહુ ચબાવલું લાગે છે. નાલાયક! વરસ પહેલાં તું જ મને ગાળો આપી ગયું હતું, કે ?” હજૂર, હજી મને જન્મ્યાને છ મહિના થયા છે.” ૯૨ ઉદા મહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004517
Book TitleUda Mehta
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy