SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવાકને જેમ સ્વાતિજળ સિવાય અન્ય જળ ખપતું નથી, તેમ પ્રભુને એષણીય ખોરાક જોઈએ છે – ડગમગતી કાયાને સ્થિર કરવા. શ્રેયાંસના અંતરમાં નિર્દોષ ખોરાક વિષે વિચારણા ઝગી. આપોઆપ કંઈ ઊગી આવ્યું. એ ઊડ્યો, એ ધસ્યો, આગળ ધસ્યો, અને તાજા ઇશુરસથી ભરેલા ઘડાઓ ઉપાડી પ્રભુ સમીપ હાજર થયો. પરિજનો અને નગરજનોએ ભારે અચરજ સાથે જોયું કે, જે હાથ આટઆટલી ધન-સમૃદ્ધિ સામે લંબાયા નહોતા, એ આ માટીના શુદ્ર ઘડામાં રહેલ મામૂલી ઇક્ષરસ માટે લંબાયા ! રે ! આ મનસ્વી મહાત્માઓ ઇંદ્રના વૈભવ કરતાં ગરીબની ઝૂંપડીને વધુ પસંદ કરનારા લાગે છે ! ઘટક ! ઘટક ! ને નાટક પૂરું થયું. પડદો પડી ગયો. જોનારા એક અજબ સ્વપ્નસૃષ્ટિમાંથી જાગ્યાં હોય તેમ આંખ ચોળતાં સાવધ થયાં. શું આ માત્ર નાટક જ હતું” બધાં પૂછવા લાગ્યાં. ‘હા, જીવન પણ એનાથી વધુ મોટું નાટક જ છે ને ! આપણે ન જાણ્યું ને એ પૂરું થયું. એમ આ પણ આપણે નહિ જાણીએ તેમ પૂરું થશે. માટે સુકૃત્ય આજથી કરવા માંડો ! પળનો પણ ભરોસો ન કરશો !' શ્રેયાંસ કે જે માત્ર પ્રભુદર્શન માત્રથી જ્ઞાનચક્ષુવાળો બની ગયો હતો, એણે કહ્યું. પણ આ નાટક ભજવ્યું કોણે ” પ્રજાજનોએ પશ્ન કર્યો, “ભગવાન વૃષભધ્વજ તો હાલમાં કેલાસ પર્વત પર વિહરે છે.' “હા, મહારાજ ભરતદેવ કુશળ નીતિવેત્તા છે, તેમ કુશળ અભિનેતા પણ છે. આ નાટકમાં તેઓ ભગવાન ઋષભદેવ બન્યા હતા, ને મહામંત્રી બન્યા હતા શ્રેયાંસ !' પ્રતાપી મહારાજા ભરત આવા આનંદી છે, એમ સહુએ જાણ્યું ત્યારે બધા પ્રશંસાની લાગણીથી એમની પ્રત્યે ઝૂકી રહ્યા. એ ભરતનાટ્યએ પ્રજાને ઘણું ઘણું સમજાવ્યું ને શીખવ્યું. તે કાળે અને તે સ્થળે ભરત-શાસન મિઠું મધુરું બની રહ્યું. ભરતનાટ્યમ્ ૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy