SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ આપત્તિ કે ઇષ્ટાપત્તિ 2 પૂર્વસમુદ્રના પ્રદેશમાં દિવસો સુધી ભરતનાટ્યમ્ની ચર્ચા ચાલી રહી. જેમણે જોયું હતું એમને એ અજબ લાગ્યું, ને જેમણે નહોતું જોયું એમને એથીય અજબ ભાસ્યું. આ નાટ્ય દ્વારા દાન, દયા ને દેવત; અસિ, મસિ ને કૃષિના શાસનનો વેગથી પ્રચાર થઈ રહ્યો. ભરતનાટ્યમ્ પણ વિજયનો એક પ્રકાર બની રહ્યું. શાસન-પ્રચારનું કાર્ય પૂરું થતાં છએક માસ લાગ્યા. બધા આનંદસાગરમાં આકંઠ નિમગ્ન હતા, ત્યાં કૂચ કરવાનું રણશિંગું ગાજ્યું. તરતમાં ગૃહપતિરત્ન ને વાર્ષકીરત્ન આગામી તૈયારીઓ માટે વિદાય પણ થયા. સૈન્યને ઊપડવાની ઘડીઓ ગણાવા લાગી. આ વખતે રસિયાઓને એક વાતની વિમાસણ જાગી. સાગરસુંદરીઓના આ કંથડાઓનાં હૈયાંમાં વિજોગની વાદળી ઝબૂકી રહી. સૈન્ય સાથે સ્ત્રીઓ તો રહેતી, પણ આ તો ઉદરમાં ઓધાનવાળી ! એને સાથે રાખી યુદ્ધને ન પાલવે અને સાથે ન રાખી મનને ન પાલવે. ત્યારે કરવું શું ? મૂંઝવણની વાત ભરતદેવ પાસે ગઈ. એ વખતે મૂંઝવણ આવ્યે પ્રજા રાજા પાસે જતી; ૨ાજા પ્રજાનો વડીલ હતો. ભરતદેવે હસીને કહ્યું : Jain Education International એ માતાઓનાં મન સંતોષો. એમને અહીં રાખો. બાળકોને જન્મ આપે, કેળવણી આપે ને ભરત-શાસનનો પ્રચાર કરે. વહેલા-મોડા આપણે અહીં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy