SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કાલની વાત છે. એમાં શત્રુને કે શત્રુતાને સ્થાન નહોતું. આજે શત્રુ શબ્દ એટલા માટે વાપરું છું કે તેઓએ આપણા શાસનનો સ્વીકાર કર્યો નથી. શાસનના સ્વીકારની સાથે એ આપણા મિત્ર બની રહેશે. બાકી તો માનવમાત્રને મિત્ર માનવાની પિતાજીની આજ્ઞા છે. પશુયુદ્ધમાં ને માનવયુદ્ધમાં ફેર પણ આટલો જ ને !” “જેવી સ્વામીની ઇચ્છા ! સ્વામીની ઇચ્છા એ અમારા માટે આજ્ઞા સમાન છે.' સેનાપતિ સુષેણ હજારો શત્રુઓના ઘેરામાંથી બહાર નીકળી શકવાનું સામર્થ્ય ધરાવતો હતો, પણ આ વિચારોના વર્તુળમાં પ્રવેશ કરવાની એની તાકાત નહોતી. સ્વામી પ્રત્યેની અવિચળ શ્રદ્ધા જ આવા કૂટ પ્રસંગે એને દોરી રહેતી. મહારાજ ભરતદેવ ત્યાં જ સાગરકિનારે આસન જમાવી બેસી ગયા. ન ખાન, ન પાન, ન આરામ ! ત્રણ દિવસ ને ત્રણ રાત એમ ને એમ વ્યતીત થઈ ગયાં. વાર્ધકીરને ત્યાં આવાસ ખડો કર્યો. ચર્મરને સમુદ્રના પાણીને ખાળ્યું. કાકિરણીરને પ્રકાશ વેર્યો. મણિરત્ન દિશાઓને અજવાળી. દંડરત્ન લઈને સેનાપતિ સુષેણ સ્વામીની પરિચર્યા માટે ત્યાં પથ્થરની મૂર્તિની જેમ ખડો રહ્યો. પુરોહિતરત્ન શાન્તિનો જાપ કર્યા કર્યો. બધાં રત્નોને કામ મળ્યું, પણ ગૃહપતિરત્નનાં રાંધ્યાં ધાન એમ ને એમ પડ્યાં રહ્યાં. અરે ! આપણો સ્વામી ન જમે, ને આપણે કેમ જમીએ? ધૂળ પડી એ જમણમાં! એ ત્રણ દિવસ સંસ્કારજીવનના એક વ્રત ઉદ્યાપન સમા વીત્યા. પ્રેમના શ્વાસ ચાલ્યા. હેતના ઉચ્છુવાસ હાલ્યા. સહાનુભૂતિના દોર ખડા થયા. શ્રદ્ધાનાં ફૂલ ખીલ્યાં. ચોથા દિવસના સૂયોદયની સાથે મહારાજ ભરતદેવે આસન છોડ્યું. પાતાળમાં રહેલો હિમવાન પર્વત પૃથ્વી વીંધી બહાર ઊપસી આવે, એમ મહારાજ ભરતદેવ આવાસ છોડી બહાર આવી ઊભા. બધેથી જયજયકાર વર્તી રહ્યો. મહારાજ ભરતદેવનું મુખમંડળ તદ્દન સૌમ્ય હતું. ઘડી પછી યુદ્ધ ચઢવાનું જંગલમાં મંગલ ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy