SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ને ચિંતકનો જન્મ પ્રસ્થાન-ભેરી વાગવાના ભણકારા વાતાવરણમાં ગુંજતા હતા. મહારાજ ભરતદેવની વિજયકૂચમાં મોટી વિશાળ સેના જવાની હતી. ગ્રામ, નગર, ખેડાં, દ્રોણી ને પલ્લીઓ બધું ખાલી થઈ રહ્યું હતું. માનવોનો એક મોટો પ્રવાહ અયોધ્યા તરફ દિનરાત અવિરત વહી રહ્યો હતો. મૃત્યુકાંઠે બેઠેલાં વૃદ્ધ સ્ત્રીપુરુષો, સાવ નાનાં બાળકો ને ગ્રામ-નગર-રક્ષકો સિવાય કોઈ પાછળ રહેવાનું નહોતું. ખૂબ ખૂબ લાંબો પ્રવાસ થવાનો હોવાથી ને યુદ્ધનો પ્રસંગ હોવાથી વખતે જીવતા પાછા ફર્યા કે ન ફર્યા એ આશંકાથી યોદ્ધાઓ ને જોધારમલ્લો ઘરનાં વડીલો, વૃદ્ધો, બાળકો ને સ્ત્રીઓ પાસેથી દર્દભરી વિદાય લઈ રહ્યા હતા. જોકે યુવાન પુરુષો ને યુવતીઓને સાથે લેવાની રાજ-આજ્ઞા હતી – યુગલધર્મના નિવારણ પછી પ્રીતિના બંધ ગાઢ રાખવા માટે પણ આ જરૂરી હતું; છતાં ઘણી સ્ત્રીઓ યુદ્ધના નામથી કંટાળતી. યુગલધર્મનિવારણ પછી સંતાનની જંજાળ ને ઘરનો મોહ એને બહાર નીકળવાની પ્રેરણા ન આપતો. અને છતાં ઘણી શોર્યવંતી યુવતીઓ રણાંગણ શોભાવવાની પણ હતી. આજે એ વર્તમાન મળ્યા હતા કે પ્રાથમિક તૈયારીઓ માટે નાની નાની સેનાઓ સાથે ગૃહપતિરત્ન ભોજનશાળાની યોજના માટે, અને વાર્ધકીરત્ન ડેરા, તંબુ ને નિવાસોની રચના માટે આગળ વિદાય થવાનાં છે. ખુદ મહારાજ ભરતદેવ એમને વિદાય-મંગળ આપવા નગરદ્વાર પર આવ્યા છે. સાથે મહાદેવી સુંદરી પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy