SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ કર્બટમંડળ, અંબાધ, ખેટક, આકર વગેરેને વશ કરીશું, નવાં વસાવીશું ને વિજય કરીને પાછા ફરીશું.' જય હો મહારાજ ભરતદેવનો !” ચારે તરફથી હર્ષનાદ થયો. આ પછી પુરોહિતરત્ન મહામંત્રી સુમતિસાગર ઊભા થયા ને ચૌદ રત્નો વિષે વિગતવાર માહિતી આપવા માંડી. આ માહિતી જેમ જેમ રજૂ થતી ગઈ, તેમ તેમ સહુના આશ્ચર્યનો પાર ન રહ્યો. પરિણામે મહારાજ ભરતદેવના વિજયમાં સર્વ કોઈ નિઃશંક થયા. નિઃશંક થવાથી શ્રદ્ધાવાન બન્યા. શ્રદ્ધાવાન થવાથી કાર્યકુશળ થયા. મહામંત્રી છટાદાર બાનીમાં ને પ્રવાહબદ્ધ ભાષામાં રત્નોનું વર્ણન કરી રહ્યા હતા, પણ તેર રત્નોનું વર્ણન કરીને એ થોભ્યા. તરત જ સભામાંથી અવાજ આવ્યો : અમે ચૌદમા સ્ત્રીરત્ન વિષે જાણવા ઉત્સુક છીએ.' એ વિષે સ્વામી પોતે કહેશે.” મહામંત્રી એટલું કહીને સ્વસ્થાનકે બેસી ગયા. મહારાજ ભરતદેવ પળવાર વિમાસણમાં પડી ગયા. પછી તરત જ તેઓ ઊભા થયા ને તેમણે જાણે હવે કંઈ કહેવાનું બાકી ન હોય તેમ જાહેર કર્યું : “સ્ત્રીરત્નનું નામ યોગ્ય સમયે પ્રગટ થશે. આજની સભાનું વિસર્જન થાય છે. સહુ સજ્જ રહેશો ને પ્રસ્થાન-ભેરીની સમીપના ભાવિમાં જ રાહ જોશે.' - સ્ત્રીરત્ન વિષેની સભાની ઉત્કંઠા અણપૂરી રહી અને રાજસભાનું વિસર્જન થયું. પૃથ્વીનું માનચિત્ર ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy