SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સહસ્રરશ્મિ સૂર્ય જેવું ચળકતું આ ચક્ર એક પ્રલયંકારી અસ્ત્ર હતું. પૃથ્વીનો વિનાશ એમાં સંગ્રહિત હતો. એ ચક્ર અનેક તીક્ષ્ણ આરાવાળું હતું. એનો તેજભર્યો એક એક આરો અનેક સુતીક્ષ્ણ અસિધારાની ગરજ સારતો. મંત્રદ્રષ્ટા તપસ્વી પુરુષ સિવાય કોઈ એને ઉઠાવી શકતું નહિ. વજ્રકાયપુરુષ સિવાય કોઈ એને ઉઠાવી શકતું નહિ. જે એને સ્પર્શ કરી શકતો, હસ્તામલકવત્ કરી શકતો, એને સંસારમાં અજેય એવું કંઈ ન રહેતું. જીતવા માટે ઇંદ્ર પણ એને સામાન્ય પ્રતિસ્પર્ધી લાગતો. એ અપ્રતિસ્પર્ધીય ચક્રરત્નનો સ્વામી પણ આંધી અને ઉલ્કાપાત વર્ષાવનાર આ શસ્ત્રનો નછૂટકે જ ઉપાય કરતો. એનો જ્યારે ઉપયોગ થતો ત્યારે પૃથ્વી પર હાહાકાર વર્તી જતો. દુશ્મનનાં સૈન્યનાં સૈન્ય એના તેજમાં અભિભૂત થઈ જતાં ને હજી તેઓ નાસવા-ભાગવાનો વિચાર કરે એ પહેલાં તો એના તીક્ષ્ણ આરા એમનાં મસ્તકને દૂધીનાં ડીંટાની જેમ દેહથી ભિન્ન કરી દેતા. કોઈ ખેડૂત ખેતરમાં ઊભેલાં હજારો ડૂંડાની યંત્રથી એકસાથે લણણી કરે, એમ આ ચક્ર જીવતાં માનવીઓનું ખળું કરી નાખતું. આ ચક્રરત્ન જેની પાસે પ્રગટ થતું એનાં ચરણોમાં જગત આપોઆપો ઝૂકતું. આ ચક્રમાં એક એ પણ ખૂબી હતી કે કામ સંપૂર્ણ કર્યા પછી એ ચક્ર આપોઆપ એના સ્વામી પાસે પાછું આવી જતું. આ ચક્રરત્ન વિષે જે જાણતું એના મોતિયા મરી જતા. અલબત્ત, આખી પૃથ્વી ૫૨ એ વખતે મહારાજ ભરતદેવ સિવાય બીજો કોઈ એનો સ્વામી નહોતો. આ ચક્રરત્નનો સ્વામી આપોઆપ ચક્રવર્તી કહેવાતો; જગત જીતવા તો એ પછી નીકળતો ! જેને આ ચક્ર વશવર્તી છે, એવા મહારાજ ભરતદેવ પોતાના મંત્રી સુમતિસાગર અને સેનાપતિ સુષેણ સાથે જ્યારે આયુધશાળાના ચક્રરત્નના ખંડમાં પ્રવેશ્યા ત્યારે દુંદુભિનાદ ગાજી રહ્યો. મંત્રીરાજ ! રાજપુરુષો અસ્ત્રને પ્રત્યક્ષ દેવતા માને છે !” મહારાજ ભરતદેવે મહામંત્રી સુમતિસાગરને ઉદ્દેશીને કહ્યું, અને સહેજ ઝૂકીને ચક્રરત્નને પ્રણામ કર્યા. એમને અનુસરતો શેષ કર્મચારી વર્ગ પણ ચક્રને પ્રણામ કરી રહ્યો. ‘મહારાજ ! જેને ચક્રવર્તી થવું હોય એની પાસે ચૌદ ઉત્તમ વસ્તુઓ હોવી ઘટે–જેને આપ રત્ન કહો છો. ચક્રવર્તીને યોગ્ય આ ચૌદ રત્નોમાંથી સાત ૩૪ * ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy