SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સુંદરી ! હું કદી ખોટું બોલતો નથી, કદી દંભ સેવતો નથી. પિતાજી પાસે મેં દંભ સેવ્યો હોત ને તને જતી ન રોકી હોત તો ? મેં અંતરમાં ના સંઘરી મોંએથી હા ભણી હોત તો ? તો જરૂર મારી મર્યાદા જળવાઈ હોત પણ સાથે સાથે શું એ અશુભ કર્મ ન થાત? મનની સરસ્વતીને ભ્રષ્ટ કરવાનું એ દુષ્કર્મ ન કહેવાત? વાણી સત્યની પુત્રી છે, એમ પિતાજી કહે છે. શું એ અનર્થ મારા હાથે ન થાત ? અને પૃથ્વી પર અધર્મનો ભાર ન વધત ? બોલ સુંદરી ! મને ઉત્તર વાળ !” જરૂર અશુભ કર્મ થાત ! આપણા કુળમાં માણસ મનમાં કંઈ વિચારે ને મોંએ કંઈ બોલે, એવું કદી બન્યું જ નથી. વાચા લાગણીમાંથી જાગવી જોઈએ, લુચ્ચાઈમાંથી નહિ. અને ભરત ! તેં અપ્રિય છતાં હૃદયગત સત્યને પ્રગટ કર્યું એટલે તો પિતાજી નારાજ પણ ન થયા અને હું નાખુશ થયા છતાં તને તિરસ્કારી પણ શકી નહિ.” ધન્ય સુંદરી ! તો હવે ભરતના પહેલા પ્રશ્નનો ઉત્તર આપ ! બીજા કુમારોએ જ્યારે તારી પાસે માગણી કરી કે તારી ગૂંથેલી વેણી અમને પહેરાવ ત્યારે તે વખતે તે નિર્લજ્જ બનીને નહોતું કહ્યું કે હું તો ભરત કાજે જ વેણી ગૂંથું છું, અન્ય કાજે નહિ. ઉત્તર દે, સુંદરી ! નિરર્થક મૌનનો આશ્રય ન લઈશ. વાણી અંતરને પ્રગટ કરનારી છે. વાણી ને અંતર જુદાં જુદાં હોય એ તો મહાપાપ છે.' ભરતે સુંદરીના સુંદર ચિબુકને સ્પર્શ કર્યો ને એના આડા ફરેલા મોંને પોતાના તરફ ફેરવતાં કહ્યું. મેં કહ્યું હતું. હું ક્યાં ના ભણું છું ? જરૂર કહ્યું હતું. જાણે ભરતથી કેડો છોડાવવા માગતી હોય તેમ સુંદરીએ કંટાળાથી કહ્યું. ધન્ય! ધન્ય ! અને એ વખતે પિતાજીએ પ્રવર્તાવેલા નવા નિયમની તને ખબર નહોતી ?” ‘હતી.” “તો પછી વાણીનો દંભ કેમ સેવ્યો ?” વાણીનો દંભ ? વાણીનો દંભ નહિ તો બીજું શું? તેં તારા હાથે ઉછેરેલી માધવી ને માલતીનાં પુષ્પો સદા મારા વલય કાજે જ શું નથી ગૂંથ્યાં ? હાથીને ગંડસ્થળે આત્મસૌંદર્યનો ભોગી ર૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy