SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્વલ બનાવી દેતા. એમણે બહાર ઊભેલા સૈનિકને વ્યાકુળ ચિત્તે પૂછ્યું : ‘સુવેગ આવ્યો ?” ના પ્રભુ ! હજી એને ગયે ક્યાં વધુ દિવસો થયા છે ?” સૈનિકે કહ્યું. થોડા દિવસ જ થયા ? અરે ! સુવેગ તો પવનવેગી છે. આટલા દિવસ પણ મારે માટે તો એક કલ્પ જેટલા બન્યા છે !” સ્વામી નિશ્ચિત રહે. સુવેગ ભરતશાસનનો વેગવંતો દૂત છે. એ વિવેકી છે અને વિચક્ષણ પણ છે. આપના અંતરનો એ અભિન્ન હોવાથી એક પળ પણ નિરર્થક નહીં રોકાય. ઓ પણે ધૂળની ડમરી ચઢે; સુવેગ જ વાવાઝોડાની જેમ આવતો હોવો જોઈએ ! મંત્રીરાજે આશ્વાસન આપતાં કહ્યું. સ્વામી અને સેવકે એ દિશામાં દૃષ્ટિ દોડાવી. ડમરી પાસે ને પાસે આવતી હતી. થોડી વારમાં તો સુવેગ દેખાયો! આવ્યો સુવેગ ! આવ્યો સુવેગ !” ભરતદેવ આકાશમાં મેઘ જોઈને મયૂર નાચે તેમ નાચી રહ્યા. સેવક ભક્તિભર્યા હૃદયે સ્વામીને નીરખી રહ્યો. એણે મનોમન કહ્યું કે પ્રચંડ પહાડને પણ પ્રેમ કેવો તણખલાની જેમ ધ્રુજાવે છે! સુવેગ ધસમસતો આવ્યો. એ ચક્રવર્તીનાં ચરણમાં નમવા જાય છે, ત્યાં તો ભરતદેવે એને બે હાથમાં ઝીલી લઈ છાતી સાથે ચાંપ્યો. સુવેગ ! બધા વર્તમાન વિસ્તારથી પછી કહેજે. પહેલાં સંક્ષેપમાં કહે કે સમાચાર કેવા છે?” ભરતદેવનું હૃદય ઉતાવળું હતું. શુભ ! શુભ? આવ તુવેગ ! મને મનભરીને ભેટી લેવા દે !” ભરતદેવ જેવા ચક્રવર્તીની આ બાલિશતા કેટલાકને ન રુચી. પણ સુવેગ આ વખત દરમ્યાન તો ભરતદેવનાં ચરણોમાં ઢળી ચૂક્યો હતો; ભરતદેવ એને ઉઠાડીને ભેટ્યા. સુવેગ ! કહે, યુદ્ધ હજી ચાલે છે ? યુદ્ધ-પ્રયાસ સંપૂર્ણ થયો છે. હવે શાસન-પ્રચારનું કાર્ય ચાલે છે.” શાબાશ ! બોલો, સેનાપતિ સુષેણનો જય ” ભરતદેવે મોટા મનથી અને અતિ હર્ષથી ઉચ્ચાર્યું, પણ તેમનું અનુકરણ કોઈએ ન કર્યું ! ભરતદેવે ગુસ્સે થઈને પોતાની ઇચ્છાનો અનાદર કરવાનું કારણ પૂછ્યું. ૧૦૬ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy