SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ કરતા તો એ નિષ્ફળ જતી. સૂકી ધરાના એ નિવાસીઓને મને કે કમને કૃષિકારના બદલે શિકારીનું જીવન જીવવું પડતું. વિબુધ મનોમન પ્રસન્નતા અનુભવતો વિચારી રહ્યો :‘અરે ! ભરતદેવની ઇચ્છાપૂર્તિની સાથે સૂકા પ્રદેશને હરિયાળો બનાવવાની વિદ્યા પણ મને હાંસલ થશે !' વિબુધ રાતદિવસ એમાં ગૂંથાઈ ગયો. આઠે પ્રહર ખોદનારાઓના અવાજથી પૃથ્વી ધણધણી રહી. વૈતાઢ્યની ગિરિમાળામાં વસતાં પશુઓ ને હિંસક માનવીઓ ડરી ડરીને ઊંડી બખોલો તરફ સંતાવા માટે સ૨વા લાગ્યાં. ખાઈ ખોદાઈ રહી. સિંધુનો જલપ્રવાહ એમાં પ્રવેશ કરવાને તલપાપડ થઈ રહ્યો હતો. નાનીશી દીવાલ માત્ર એ પ્રવાહને થંભાવી રહી હતી. અલબત્ત, જલના લોઢ એની એક એક કાંકરીને ધીરે ધીરે ખેરવી રહ્યા હતા, પણ એને હજી સમય લાગે તેમ હતો. વિબુધ ગણતરી કરીને બેઠો હતો કે નિશ્ચિત સમયે દીવાલ ખોદાઈ જશે, ને ખાઈમાં જળ પ્રસરી જશે. એણે મહારાજા ભરતદેવને એ સમયની જાણ પણ કરી દીધી હતી. ભરતદેવ ખાઈના દ્વાર પર આવવાની તૈયારીમાં હતા, ત્યાં એમને સુષેણ સાંભર્યો ; એને આપેલો રક્તહીન ક્રાંતિનો આદેશ સાંભર્યો ઃ લોહી દેવું પડે તો દેવું પણ બને ત્યાં સુધી લેવાની ઇચ્છા ન કરવી’ એને સમજાવેલી આ ફિલસૂફી યાદ આવી ! દિવાસોથી એના કંઈ વર્તમાન નહોતા રખેને પોતાના આદર્શવાદની વેદી પર એનો બિલ ચઢી ગયો ન હોય ! મ્લેચ્છ લોકો ક્રૂર, કપટી ને છદ્મવેશી તો હોય જ છે. ન — - ભરતદેવને ઘડીભર પસ્તાવો થઈ આવ્યો. એમને થયું કે આ પ્રકારનો ઉપદેશ, જ્યાં પોતાના બદલે બીજો કોઈ નેતા બનીને યુદ્ધ ખેડવા જતો હોય ત્યાં, આપવાની જરૂર નહોતી ! એ એમાં અપવાદ નહિ કરી શકે, આત્મબલિ કરી દેશે ! Jain Education International મહારાજ ભરતદેવના મુખ ૫૨ ગમે તેવા ભયંકર સંગ્રામમાં પણ સૌમ્ય કાન્તિ પથરાયેલી રહેતી. પણ આવા સુકોમળ માનસિક આઘાતો એમને મ્લેચ્છ કુલ પર વિજય × ૧૦૫ For Private & Personal Use Only · www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy