SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સિંધુ નદી સુભિત બની ગઈ. મોજાં પર મોજાં ઉછાળી જાણે એ પોતાના અંતરનો હર્ષ વ્યક્ત કરવા લાગી. ગજસૈન્ય ને અશ્વસૈન્ય થોડોએક પંથ કાપ્યો, એટલે પદાતિસૈન્ય પોતાની ચર્મ-નૌકાઓને ખભેથી ઉતારી જળમાં ફેલાવી નૌકાઓ પણ જળનો સંસર્ગ પામી જીવંત અશ્વ જેવી સજીવન બની ગઈ. જય વૃષભધ્વજ!” ચારે તરફથી નિનાદ ઊઠ્યો ને એ સાથે સૈનિકો ચર્મનૌકા પર ચઢી ગયા. સિંધુનો પ્રવાહ તરત એમને ઉપાડી વહેતો થયો. એ જાય, ઓ જાય, ઓ ક્ષિતિજમાં ભળી જાય ! – એમ કરતા તટ પર ઊભેલા સૈનિકો થોડી વાર આંખ ખેંચી ખેંચીને જોઈ રહ્યા. ધીરે ધીરે જળસેના અદશ્ય થતી ચાલી. આખરે એ દૃષ્ટિ બહાર થઈ ગઈ. શેષ સેના ભારે હૃદયે પાછી ફરી. પણ પાછા ફરતાંની સાથે મહારાજ ભરતદેવે કાકિણીરત્નના અધિપતિ અગ્નિદેવ ને મણિરત્નના અધિનાયક સૂર્યદેવને બોલાવ્યા. એમને હજી સુધી ખાસ કામગીરી સોંપાઈ નહોતી, એટલે સ્વકર્મપ્રાપ્તિ માટે તેઓ થનગનતા હતા. ભરતદેવે એમને વૈતાઢ્ય પર્વત પાર કરવાનું દુઃસાહસ વિગતથી સમજાવ્યું કે એ પાર કરવા માટે તમિસા ગુફા વાટે પ્રવેશ કરવાના માર્ગનો ખ્યાલ આપ્યો. એ પચાસ યોજનના અંધારા ગુહામાર્ગમાં જો ખરેખર કોઈની આવશ્યકતા પડશે તો તે કાકિણીરત્નની ને મણિરત્નની ! વધારામાં ભરતદેવે કહ્યું : માતાના પેટ જેવો અંધકાર એ ગુફામાં પ્રસરેલો છે. વાવંટોળો વેગીલા ઘુમ્યા કરે છે. ઝેરી વિષધરોના નિ:શ્વાસ ભલભલા પ્રકાશને પણ આવરી લેવા સમર્થ છે. સૂર્ય, ચંદ્ર કે તારા-નક્ષત્રનો પડછાયો પણ ત્યાં શક્ય નથી ! ત્યાં સહુથી વધુ કાર્ય કરી બતાવવાનું તમારા પર રહેશે. તમે અમારાં નેત્રોનું કામ કરશો.” “નિશ્ચિત રહેજો, દેવ ! અંધકારને પ્રકાશથી રંગી નાખવા જેટલી તૈયારી અમે આરંભી છે. સાથે સાથે પાછળ પ્રકાશનાં સાધનો મૂકી જવા માટે શમી, અશ્વત્થ વગેરે ઉદરમાં અગ્નિ સંઘરનારાં વૃક્ષોનું પણ રોપણ કરવાનું વિચાર્યું છે. ૧૦ર ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy