SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ પી રહ્યા. એમની લોહીતરસભરી યુદ્ધની કલ્પના દૂર થઈ ગઈ, ને જે યુદ્ધોને વિષે તેઓ પોતાની જાતને નિષ્ણાત માનતા હતા. એ વિષે પોતે સાવ અજ્ઞ નીકળ્યા ! ભરતદેવે પોતાના માનીતા સેનાપતિરત્નને વિશેષ શિખામણ આપતાં કહ્યું : યુદ્ધમાં દોસ્ત-દુશ્મનને પારખવો. દોસ્ત થઈ શકે તેવા દુશ્મનને પારખવો. લાભાલાભ જોવો. માત્ર સડેલા અંગ પર જ શસ્ત્રક્રિયા થવા દેવી. માનવજાત તરફ ભારે આદરમાન રાખવું. ભરતયુદ્ધનો આ આદર્શ છે. એવું ન થાય કે જે માનવજાતનાં શુભ, મંગળ ને કલ્યાણ માટે આ યુદ્ધ કરીએ છીએ, એ માનવજાતને આપણું યુદ્ધ અકલ્યાણરૂપ ને શાપરૂપ બને. ભય અને પ્રીત બે જ સાધનો પર વિશેષ ભાર રાખવો. યુદ્ધ અને મોહ બેથી બને ત્યાં સુધી અળગા રહેવું.” સ્વામી ! મારે માથે શક્તિથી વધુ બોજો લાદવામાં આવે છે ! હું તો આપના નેતૃત્વ નીચે રહેવા ઇચ્છું છું. કદાચ સ્વતંત્ર રીતે વર્તતાં આપના આદેશનો યથાયોગ્ય અમલ ન પણ કરી શકું. આજે સમજાય છે કે ખડગ વીંઝવું જુદી વાત છે, અને ભરતશાસનનું યુદ્ધ અલગ વાત છે.' સુષેણ ! એમ નિરાશ ન થા. માનવ શું નથી કરી શકતો ભરતના શાસનનો પ્રથમ પંક્તિનો પુરુષ જ્યારે આવી નિરાશાભરી વાતો કરે, ત્યારે હું કોના પર આશા રાખું. સુષેણ !” જી, સ્વામી સુષેણે હારી ગયેલા મનથી પ્રત્યુત્તર આપ્યો.' એમ નિરાશ વદને ન બોલ ! એક વાર ભગવાન વૃષભધ્વજની જય બોલ ! સિંહના જેવો ગર્જારવ કરીને બોલ ! સુષેણ ! મેઘના જેવો ગડેડાટ કરીને બોલ !” ભગવાન વૃષભધ્વજનો જય હો ” સુષેણે એ જ નિરાશ રીતે કહ્યું. ફરી કહે ! ભગવાન વૃષભધ્વજનો જય હો !" સુષેણે કંઈક ઉત્સાહથી કહ્યું. ધન્ય ! અષ્ટાપદ ને સુમેરુના પ્રવાસી સુષેણ ! ધન્ય ! ફરી એક વાર એ પવિત્ર નામનો ઉચ્ચાર કર !” ભરતદેવ નીતિશાસ્ત્રના વેત્તા હતા. એમનું ૯૮ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy